અમદાવાદ : સાવકી માતાએ જ દીકરાની કરી ઠંડા કલેજે હત્યા, જુઓ કેવી રીતે ભેદ ઉકેલાયો..!

અમદાવાદમાં સાવકી માતાએ પોતાના દીકરાઓની ઠંડા કલેજે હત્યા કરી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે

New Update
અમદાવાદ : સાવકી માતાએ જ દીકરાની કરી ઠંડા કલેજે હત્યા, જુઓ કેવી રીતે ભેદ ઉકેલાયો..!

અમદાવાદમાં સાવકી માતાએ પોતાના દીકરાઓની ઠંડા કલેજે હત્યા કરી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં થોડા વર્ષો અગાઉ 45 વર્ષીય માતાએ પોતાના 11 વર્ષના સગા દીકરાની નાસિકમાં હત્યા કરી હતી. ત્યારબાદ કણભા વિસ્તારમાં 21 વર્ષના સાવકા દીકરાની હત્યા કરી હોવાનો ખુલાસો થયો છે.

મળતી માહિતી અનુસાર, કણભા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ કુંજાડ ગામમાં રહેનો હાર્દિક પટેલ નામનો 21 વર્ષીય યુવક ગુમ થયો હોવાની પોલીસને જાણ કરવામાં આવી હતી. જોકે, પોલીસે તપાસ શરૂ કરતાં તેની સાવકી માતા શંકાના દાયરામાં તેની ઉલટ તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે, આરોપી મહિલાએ લોકડાઉન દરમ્યાન દીકરાના નામે સગા-સંબંધીઓ પાસેથી 25થી 30 લાખ રૂપિયા મેળવી નાસીક મિત્રને મોકલ્યા હતા, ત્યારે તે રકમને લઈ હાર્દીક અને તેની સાવકી માતા વચ્ચે બોલાચાલી થતી હતી. જે અંગે હાર્દિકે ઠપકો આપતા તેની સાવકી માતાએ હત્યાનું કાવતરું રચ્યું હતું. માતા ગૌરી પટેલે જ અન્ય 3 ઈસમો સાથે મળી હાર્દિકની હત્યા કરી મૃતદેહનો નિકાલ કર્યો હતો. જે મૃતદેહ નદી પાસે કોથળામાંથી વિકૃત હાલતમાં મળી આવ્યો હતો. મૃતદેહ મળતા સાવકી માતાની પોલીસે વધુ પુછપરછ કરતા હત્યાના ગુન્હામાં નાસિકના 3 યુવકો દિનેશ, અનિલ અને સંજયના નામ સામે આવ્યા છે, ત્યારે હાલ તો કણભા પોલીસે આરોપી મહિલાની ધરપકડ કરી ફરાર અન્ય 3 આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

Read the Next Article

ગુજરાતી ફિલ્મ નિર્માતા મહેશ જીરાવાલાનું પ્લેન ક્રેશમાં મોતની પુષ્ટિ, પરિવારે મૃતદેહ સ્વીકાર્યો

વિમાન દુર્ઘટના બાદ ગુમ થયેલા ગુજરાતી ફિલ્મમેકર મહેશ જીરાવાલાના DNA મેચ થવા છતાં પરિવાર માનવા તૈયાર નહોતો કે, તે મૃતદેહ મહેશનો છે. જ્યારે હવે ફિલ્મમેકરના મૃત્યુની પુષ્ટિ થઈ છે

New Update
Mahesh Jirawala

અમદાવાદથી લંડન જઈ રહેલા એર ઇન્ડિયાનું વિમાન 12 જૂને દુર્ઘટનાગ્રસ્ત થઈ બી.જે મેડિકલ હોસ્ટેલમાં ક્રેશ થયું હતું. જે દુર્ઘટનામાં 280થી વધુ લોકોના મૃત્યુ થયા છે. આ દુર્ઘટનામાં મૃતકોની ઓળખ માટે ડીએનએ મેચ કરવાની કાર્યવાહી ચાલી રહી છે. વિમાન દુર્ઘટના બાદ ગુમ થયેલા ગુજરાતી ફિલ્મમેકર મહેશ જીરાવાલાના DNA મેચ થવા છતાં પરિવાર માનવા તૈયાર નહોતો કેતે મૃતદેહ મહેશનો છે. જ્યારે હવે ફિલ્મમેકરના મૃત્યુની પુષ્ટિ થઈ છેત્યારે પરિવારને તેમનો મૃતદેહ સોંપવામાં આવ્યો છે.

અમદાવાદ વિમાન દુર્ઘટના બાદ ફિલ્મમેકર મહેશ જીરાવાલા ગુમ હોવાનું સામે આવ્યું હતું. જ્યારે મહેશ જીરાવાલાના DNA મેચ થવા છતાં તેમનું મૃત્યુ નીપજ્યું હોવાને લઈને પરિવાર માનવા તૈયાર નહોતો.

સમગ્ર મામલે પોલીસે સળગેલા એક્ટિવાના એન્જિન-ચેસીસ નંબર, સીસીટીવી સહિતના પુરાવા એકઠા કરીને મૃતકના પરિવારને માહિતી આપી હતી.આમ હવે જીરાવાલાના મોતની પુષ્ટિ થઈ છે, ત્યારે પરિવારે મહેશ જીરાવાલાનો મૃતદેહ સ્વીકાર્યો છે.

અમદાવાદના નરોડ વિસ્તારમાં રહેતા 34 વર્ષીય ગુજરાતી ફિલ્મ ડાયરેક્ટર મહેશ ગીરધરભાઈ કાલાવાડિયા ઉર્ફે જીરાવાલ ઘરથી નીકળ્યા હતા અને શાહીબાગ સિવિલ હોસ્પિટલની નજીકમાં ગુમ થયા હતા. આ મામલે કાર્તિકએ પોતાનો ભાઈ ગુમ થયાની નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ટેકનિકલ સોર્સ સહિતની પોલીસ તપાસમાં મહેશ વિમાન દુર્ઘટનામાં ભોગ બન્યો હોવાનું જાણવા મળ્યું હતું. પરંતુ પરિવાર આ વાતને માનવા તૈયાર ન હતો. જ્યારે દુર્ઘટનાગ્રસ્ત સ્થળેથી લેવામાં આવલા મૃતદેહ સાથે મહેશના પરિવારજનો DNA મેચ થતાં અને પોલીસે જરૂરી પુરાવા રજૂ કરતા અંતે મહેશનું મોત નીપજ્યું હોવાની પુષ્ટિ થઈ છે.