અમદાવાદ : જમાલપુરમાં કુખ્યાત ગુનેગારના મકાન પર ફરી વળ્યું તંત્ર બુલડોઝર, ગુજસીટોક હેઠળ કાર્યવાહી...

અમદાવાદ પોલીસ અને સ્થાનિક તંત્ર દ્વારા અસામાજિક તત્વો સામે JCB અને બુલડોઝરથી મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવી રહ્યું છે.

New Update
અમદાવાદ : જમાલપુરમાં કુખ્યાત ગુનેગારના મકાન પર ફરી વળ્યું તંત્ર બુલડોઝર, ગુજસીટોક હેઠળ કાર્યવાહી...

યુપીમાં અસામાજિક તત્વો અને ગુનેગારો સામે બુલડોઝર ચાલી રહ્યું છે, ત્યારે હવે અમદાવાદ પોલીસ અને સ્થાનિક તંત્ર દ્વારા અસામાજિક તત્વો સામે JCB અને બુલડોઝરથી મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવી રહ્યું છે.

અમદાવાદ સાહેર રાજ્યનું સૌથી મોટું મહાનગર છે, ત્યારે શહેરના જમાલપુર વિસ્તારમાં ગુજસીટોક હેઠળ આરોપીના ઘરે મેગા ડિમોલેશન હાથ ધરી મકાનને જમીન દોષ કરી નાખવામાં આવ્યું છે. અહી અસમાજીક તત્વો અને ગુનેગારો પોલીસ તંત્રને અનેક વાર પડકાર ફેકતા હોય છે, ત્યારે હવે શહેર પોલીસ અને સ્થાનીય તંત્ર દ્વારા આવા અસામાજીક તત્વોને કાબુમાં રાખવા અને ડર ઊભો કરવા JCB અને બુલડોઝરની મદદ લેવામાં આવી રહી છે. અનેક ગુનેગાર ગેરકાયદેસર દબાણ કરે છે. તેવામાં જમાલપુર વિસ્તારમાં રહેતા કુખ્યાત ગુનેગાર અને ગુજસીટોકના આરોપી શરીફ ખાનના ઘરે ડિમોલિશન કાર્યવાહી કરવામાં આવી હતી. સવારથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે એએમસીની ટીમોએ કુખ્યાત આરોપીના ઘરને જમીન દોષ કરી દીધું હતું, અને આસપાસ કરેલ ગેરકાયદેસર દબાણ પણ દૂર કરવામાં આવ્યા હતા. આરોપી પર હત્યા, છેડતી, લૂંટ અને ધાક-ધમકી સહિતના 28 ગુના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં નોંધાયા છે. મેગા ડિમોલેશન સમયે કોઈ અનિચ્છનિય ઘટના ન ઘટે તે માટે 3 ડીસીપી અને 100થી વધુ પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા હતા. આરોપીના તમામ સભ્યો પર ગુજસીટોક લગાવવામાં આવી છે. આરોપી એક ગેંગ બનાવી ગુનાઓ આચારતા હતા. આમ અમદાવાદ પોલીસ દ્વારા આવનારા સમયમાં પણ આ પ્રકારે જ કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવા સંકેતો આપવામાં આવ્યા છે. જેના કારણે અસામાજીક તત્વોમાં ફફડાટ ફેલાયો છે.

Read the Next Article

ફરી ઘટી ગયો સોનાનો ભાવ ! સોનું-ચાંદી ખરીદવાનો મોકો, જાણો લેટેસ્ટ ભાવ

5 જુલાઈને શનિવારના આજે સોનાના ભાવમાં ધડામથી ફરી પાછા નીચે ઉતર્યા છે. એટલે કે આજે 600 રુપિયાથી વધારેનો સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે.

New Update
golddd

5 જુલાઈને શનિવારના આજે સોનાના ભાવમાં ધડામથી ફરી પાછા નીચે ઉતર્યા છે. એટલે કે આજે 600 રુપિયાથી વધારેનો સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે.

લગ્નની સિઝન ચાલી રહી છે. આવી સ્થિતિમાં, જો તમે સોનું-ચાંદી ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આજે તમારા માટે આ મહત્વપૂર્ણ સમાચાર છે. સોના-ચાંદીના ભાવમાં થોડા સમયથી વધારો તો ક્યારેક ઘટાડો જોવા મળી રહ્યો છે, ત્યારે ગઈકાલે પણ સોનાના ભાવમાં ફરી વધારો જોવા મળ્યો હતો, જોકે આજે સોનાના ભાવ ઘટી ગયા છે, ત્યારે ચાલો જાણીએ તમારા શહેરમાં આજે સોનાનો ભાવ કેટલો ઘટ્યો છે.

5 જુલાઈને શનિવારના આજે સોનાના ભાવમાં ધડામથી ફરી પાછા નીચે ઉતર્યા છે. એટલે કે આજે 600 રુપિયાથી વધારેનો સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે.

આજે રાજધાની દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ 98,870 રુપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગયો છે. તેમજ આજે 22 કેરેટનો ભાવ 90,640 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર છે.

હાલમાં, મુંબઈ, ચેન્નાઈ અને કોલકાતામાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 90,490 રૂપિયા છે, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 98,720 રૂપિયા છે.

અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા જેવા મોટો શહેરોમાં આજે 22 કેરેટ સોનાનો છૂટક ભાવ પ્રતિ 10 ગ્રામ 90,540 રૂપિયા પર પહોચ્યોં છે. જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 98,770 રૂપિયા છે.

આજે સોનાની સાથે ચાંદીના ભાવમાં પણ મોટો ઘટાડો નોંધાયો છે. આજે 5 જુલાઈ શનિવારના રોજ ચાંદીનો ભાવ 1,09,900 રુપિયા પ્રતિ કિલો પર ટ્રેડ થઈ રહી છે. જ્યારે ગઈ કાલે ચાંદીનો ભાવ 1,11,100 રુપિયાની આસપાસ ટ્રેડ થઈ રહ્યો હતો.

ભારતમાં સોનાનો ભાવ ઘણી બાબતો પર આધાર રાખે છે, જેમ કે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો ભાવ, રૂપિયા અને ડોલરના ભાવમાં તફાવત અને સરકાર દ્વારા લાદવામાં આવતો કર. પરંતુ ભારતમાં, સોનું ફક્ત પૈસાનો વિષય નથી, તે આપણી સંસ્કૃતિ અને પરંપરાનો પણ એક ભાગ છે.

ખાસ કરીને લગ્ન, દિવાળી અને ધનતેરસ જેવા તહેવારો પર, લોકો સોનું ખરીદવાનું શુભ માને છે. આવા પ્રસંગોએ, સોનાની માંગ વધે છે, જેના કારણે તેની કિંમત પણ વધે છે.

 Business | Today Gold Rate | Gold and silver Price Rise