અમદાવાદ: કોરોના વેક્સિન લેનાર ટેમ્પા ચાલકને મળ્યો રૂ.70 હજારનો આઇફોન,મહાનગર પાલિકાની સ્કીમે કિસ્મત ચમકાવી

New Update
અમદાવાદ: કોરોના વેક્સિન લેનાર ટેમ્પા  ચાલકને મળ્યો રૂ.70 હજારનો આઇફોન,મહાનગર પાલિકાની સ્કીમે કિસ્મત ચમકાવી

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હદ વિસ્તારમાં તારીખ 1 ડિસેમ્બરથી 7 ડિસેમ્બર સુધી કોરોના વેક્સિનનો બીજો ડોઝ લેનાર લાભાર્થીઓને રૂપિયા 70,000નો આઈફોન આપવાની જાહેરાત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી હતી. લકી ડ્રો મારફતે આ વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. બહેરામપુરા વિસ્તારમાં રહેતા અને લોડિંગ ટેમ્પો ચલાવતા કિશન મકવાણા નામના વ્યક્તિને લકી ડ્રોમાં વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા અને આઈફોન આપવામાં આવ્યો હતો. કોર્પોરેશન દ્વારા કિશનને ફોન કરી અને તેઓને વેક્સિનના લકી ડ્રોમાં આઈફોન લાગ્યો છે. તેવો કોર્પોરેશન તરફથી ફોન કરી જાણ કરવામાં આવી તો તેઓને વિશ્વાસ થયો ન હતો. બાદમાં કોર્પોરેશનના અધિકારીઓ તેઓના આધારકાર્ડ પરથી સરનામું શોધી અને તેમના ઘરે ગયા હતા. આજે મેયર કિરીટ પરમાર, ડેપ્યુટી મેયર ગીતાબેન પટેલ, સ્ટેન્ડિગ ચેરમેન હિતેશ બારોટ, પક્ષના નેતા ભાસ્કર ભટ્ટ અને દંડક અરુણસિંહ રાજપૂતના હાથે તેઓને આઈફોન આપવામાં આવ્યો હતો. 

કોરોના વેક્સિનનો બીજો ડોઝ લેનાર અને iPhoneના લકી ડ્રોમાં આઈફોન જીતનાર અમદાવાદના બહેરામપુરા વિસ્તારમાં રહેતા કિશન મકવાણા નામના યુવકે જણાવ્યું હતું કે, એક ડિસેમ્બરના રોજ તેઓએ કોરોના વ્યક્તિ નો બીજો લીધો હતો. 1 અઠવાડિયા પહેલા જ્યારે ડ્રાઇવિંગ કરતા હતા. ત્યારે એક ફોન આવ્યો હતો કે, કોર્પોરેશનમાંથી તેઓ આઇફોનના લકી ડ્રોના વિજેતા જાહેર થયા છે અને તેઓને આઈફોન લાગ્યો છે તેઓ તેમ જણાવ્યું હતું, ત્યારે તેઓએ હાલમાં ડ્રાઇવિંગ કરે છે પછી વાત કરું એમ કહી ફોન મૂકી દીધો હતો. તેઓને લાગ્યું હતું કે આ કોઈ ફ્રોડ કંપની દ્વારા ફોન કરવામાં આવ્યો હશે. જેથી તેઓએ સામે પરત કોઈ ફોન કર્યો ન હતો. કોર્પોરેશન દ્વારા તેઓને લકી ડ્રોમાં નંબર લાગ્યો હોવાથી iPhone આપવાનું હતો તેવું નક્કી કરવામાં આવ્યું હતું. આરોગ્ય વિભાગના અધિકારીઓએ તેઓના આધાર કાર્ડમાંથી સરનામું શોધી અને તેઓના ઘરે પહોંચી ગયા હતા. કોર્પોરેશન તરફથી તેઓને ફોન લાગ્યો હોવાનો વિશ્વાસ આપી અને સમજાવતા આજે સ્ટેન્ડિંગ કમિટી બાદ તેઓ પરિવાર સાથે કોર્પોરેશન આવ્યા હતા અને મેયર અને ડેપ્યુટી મેયર સહિતના પદાધિકારીઓના સાથે તેઓને iPhone આપવામાં આવ્યો હતો.

Read the Next Article

અમદાવાદ : ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા પૂર્વે જળયાત્રા યોજાય, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી રહ્યા ઉપસ્થિત...

અમદાવાદ શહેરના જમાલપુર વિસ્તાર સ્થિત ભગવાન જગન્નાથજી મંદિર ખાતેથી વાજતે ગાજતે હાથી, બેન્ડવાજા, ધજા-પતાકા સાથે ભવ્ય જળયાત્રા નીકળી રિવરફ્રન્ટ ખાતે સાબરમતી નદીમાંથી જળ લઇ પરત ફરી

New Update
  • અષાઢી બીજના રોજ 148મી રથયાત્રાનું ભવ્ય આયોજન કરાયું

  • જમાલપુર સ્થિત ભગવાન જગન્નાથ મંદિરથી જળયાત્રા નીકળી

  • ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં જળયાત્રાનું આયોજન

  • ભગવાનને પંચામૃત સહિતના દ્રવ્યોથી સ્નાન કરાવવામાં આવ્યું

  • સાધુ સંતોએ માલપુવા - દૂધપાક સહિતનો પ્રસાદ ગ્રહણ કર્યો

અમદાવાદ શહેરના જમાલપુર વિસ્તાર સ્થિત ભગવાન જગન્નાથજી મંદિર ખાતેથી અષાઢી બીજના રોજ નીકળનારી 148મી રથયાત્રા પૂર્વે આજરોજ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં ભવ્ય જળયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.

આજરોજ જેઠ સુદ પૂનમના દિવસે અમદાવાદ શહેરના જમાલપુર વિસ્તાર સ્થિત ભગવાન જગન્નાથજી મંદિર ખાતેથી વાજતે ગાજતે હાથીબેન્ડવાજાધજા-પતાકા સાથે ભવ્ય જળયાત્રા નીકળી રિવરફ્રન્ટ ખાતે સાબરમતી નદીમાંથી જળ લઇ પરત ફરી હતી. દર વર્ષે જળાભિષેક માટે સાબરમતી નદીમાંથી પાણી લાવવામાં આવે છેત્યાં આ વર્ષે જળકુંભી નીકળી હોવાથી પ્રથમવાર AC ક્રૂઝની મદદથી નદીની મધ્યમાં જઈ પાણી લાવવામાં આવ્યું હતું. જોકેમંદિરે ભગવાન પરત ફર્યા બાદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીસાધુ-સંતોયજમાન સહિત અનેક ભક્તો દ્વારા ભગવાનને જળાભિષેક કરાયો હતો.

અમદાવાદના જમાલપુર વિસ્તાર સ્થિત ભગવાન જગન્નાથજી મંદિર ખાતે ભગવાનને દુધદહીખાંડમધપંચામૃત સહિતના દ્રવ્યોથી સ્નાન કરાવામાં આવ્યું હતું. વિષ્ણુ અવતાર ભગવાન જગન્નાથજીને પ્રિય તુલસી દલ અર્પણ કરાયું હતુંઅને આરતી ઉતારવામાં આવી હતી. જે બાદ ભગવાનને વર્ષમાં એકવાર પહેરાવવામાં આવતો ગજવેશ પહેરાવાયો હતો. જમાલપુર જગન્નાથ મંદિરે સાધુ સંતોએ ધોળી દાળકાળી રોટી એટલે કે માલપુવા અને દૂધપાક સહિતનો પ્રસાદ લીધો હતો. તો બીજી તરફભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રામાં સુરક્ષા વ્યવસ્થા અંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વિસ્તૃત માહિતી આપી હતી.