અમદાવાદ : પાઠ્યપુસ્તકોમાં 25થી 30 ટકા જેટલો ભાવ વધારો, મધ્યમ વર્ગના લોકો પર મોંઘવારીનો બોજ વધ્યો...

લખવાના ચોપડામાં પણ આ વખતે એટલો જ ભાવ વધારો જોવા મળતા નાના વેપારીઓ ધંધો પડી ભાંગ્યો છે.

New Update
અમદાવાદ : પાઠ્યપુસ્તકોમાં 25થી 30 ટકા જેટલો ભાવ વધારો, મધ્યમ વર્ગના લોકો પર મોંઘવારીનો બોજ વધ્યો...

અમદાવાદ સહિત રાજ્યભરમાં હાલ અન્ય ચીજવસ્તુઓ સહિત પાઠ્યપુસ્તકોમાં પણ 25થી 30 ટકા જેટલો ભાવ વધારો જોવા મળ્યો છે, ત્યારે હવે ભણતરમાં પણ મોંઘવારીનો ભાર વધતાં મધ્યમ અને ગરીબ વર્ગના લોકો મુશ્કેલીમાં મુકાયા છે.

દ્રશ્યોમાં તમે જોઈ રહ્યા છો એ અમદાવાદના ગાંધી બ્રિજ નીચે આવેલું ચોપડી બજાર છે. જેમાં સ્કૂલો ખુલવાનો સમય આવે, ત્યારે અહીંયા ઉભા રહેવાની જગ્યા મળવી પણ મુશ્કેલ હોય છે. તેની જગ્યાએ અત્યારે અહીના વેપારીઓને ધંધો શોધવો પડે છે. એનું કારણ છે, ભાવ વધારો. આ વર્ષે પાઠ્યપુસ્તકોમાં 25થી 30 ટકા જેટલો ભાવ વધારો જોવા મળ્યો છે. જેનું કારણ છે રશિયા અને ચીનથી આવતો માલ રોકાઈ ગયો છે. કોરોના કાળમાં પસ્તી ખુબ જ ઓછી નીકળી છે, જેથી મિલોમાં જોઈએ એટલો માલ નથી આવ્યો, ત્યારે માલની અછત સર્જાતા ભાવમાં પણ વધારો થયો હોવાનું વેપારીઓ માની રહ્યા છે. લખવાના ચોપડામાં પણ આ વખતે એટલો જ ભાવ વધારો જોવા મળતા નાના વેપારીઓ ધંધો પડી ભાંગ્યો છે.

એક તરફ વાલીઓ પણ કહી રહ્યા છે કે, આ વખતે દરેક ચોપડા કે, પુસ્તકોમાં 25થી 30 ટકા જે ભાવ વધારો થયો છે, જેના કારણે તેમને તેમના બાળકોને ભણાવવામાં ઘણી મુશ્કેલીઓને સામનો કરવો પડશે. તો બીજી તરફ જીવન જરૂરિયાતની વસ્તુઓના ભાવ પણ વધી રહ્યા છે. સાથે જ હવે ભણતર પણ મોંઘુ થઈ રહ્યું છે. પરંતુ પોતાના બાળકોને ભણાવવા વગર કોઈ છૂટકો નથી તેવું વાલીઓ માની રહ્યા છે, ત્યારે હાલ તો પાઠ્યપુસ્તકોમાં વધતો ભાવ વધારા સામે સરકાર હવે ભણતર સસ્તું કરે તેવી વાલીઓ માંગ કરી રહ્યા છે.

Read the Next Article

ફરી ઘટી ગયો સોનાનો ભાવ ! સોનું-ચાંદી ખરીદવાનો મોકો, જાણો લેટેસ્ટ ભાવ

5 જુલાઈને શનિવારના આજે સોનાના ભાવમાં ધડામથી ફરી પાછા નીચે ઉતર્યા છે. એટલે કે આજે 600 રુપિયાથી વધારેનો સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે.

New Update
golddd

5 જુલાઈને શનિવારના આજે સોનાના ભાવમાં ધડામથી ફરી પાછા નીચે ઉતર્યા છે. એટલે કે આજે 600 રુપિયાથી વધારેનો સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે.

લગ્નની સિઝન ચાલી રહી છે. આવી સ્થિતિમાં, જો તમે સોનું-ચાંદી ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આજે તમારા માટે આ મહત્વપૂર્ણ સમાચાર છે. સોના-ચાંદીના ભાવમાં થોડા સમયથી વધારો તો ક્યારેક ઘટાડો જોવા મળી રહ્યો છે, ત્યારે ગઈકાલે પણ સોનાના ભાવમાં ફરી વધારો જોવા મળ્યો હતો, જોકે આજે સોનાના ભાવ ઘટી ગયા છે, ત્યારે ચાલો જાણીએ તમારા શહેરમાં આજે સોનાનો ભાવ કેટલો ઘટ્યો છે.

5 જુલાઈને શનિવારના આજે સોનાના ભાવમાં ધડામથી ફરી પાછા નીચે ઉતર્યા છે. એટલે કે આજે 600 રુપિયાથી વધારેનો સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે.

આજે રાજધાની દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ 98,870 રુપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગયો છે. તેમજ આજે 22 કેરેટનો ભાવ 90,640 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર છે.

હાલમાં, મુંબઈ, ચેન્નાઈ અને કોલકાતામાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 90,490 રૂપિયા છે, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 98,720 રૂપિયા છે.

અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા જેવા મોટો શહેરોમાં આજે 22 કેરેટ સોનાનો છૂટક ભાવ પ્રતિ 10 ગ્રામ 90,540 રૂપિયા પર પહોચ્યોં છે. જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 98,770 રૂપિયા છે.

આજે સોનાની સાથે ચાંદીના ભાવમાં પણ મોટો ઘટાડો નોંધાયો છે. આજે 5 જુલાઈ શનિવારના રોજ ચાંદીનો ભાવ 1,09,900 રુપિયા પ્રતિ કિલો પર ટ્રેડ થઈ રહી છે. જ્યારે ગઈ કાલે ચાંદીનો ભાવ 1,11,100 રુપિયાની આસપાસ ટ્રેડ થઈ રહ્યો હતો.

ભારતમાં સોનાનો ભાવ ઘણી બાબતો પર આધાર રાખે છે, જેમ કે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો ભાવ, રૂપિયા અને ડોલરના ભાવમાં તફાવત અને સરકાર દ્વારા લાદવામાં આવતો કર. પરંતુ ભારતમાં, સોનું ફક્ત પૈસાનો વિષય નથી, તે આપણી સંસ્કૃતિ અને પરંપરાનો પણ એક ભાગ છે.

ખાસ કરીને લગ્ન, દિવાળી અને ધનતેરસ જેવા તહેવારો પર, લોકો સોનું ખરીદવાનું શુભ માને છે. આવા પ્રસંગોએ, સોનાની માંગ વધે છે, જેના કારણે તેની કિંમત પણ વધે છે.

 Business | Today Gold Rate | Gold and silver Price Rise