અમદાવાદ : સ્મશાન ગૃહમાં ઓછા લાકડા વાપરી આર્થિક ફાયદો કરતાં કોન્ટ્રકટર, ચિતા વચ્ચે લોખંડની ઘોડી મૂકી કરે છે લાકડાનો બચાવ

New Update
અમદાવાદ : સ્મશાન ગૃહમાં ઓછા લાકડા વાપરી આર્થિક ફાયદો કરતાં કોન્ટ્રકટર, ચિતા વચ્ચે લોખંડની ઘોડી મૂકી કરે છે લાકડાનો બચાવ

હવે સ્મશાનમાં પણ ભ્રષ્ટાચાર

મર્યા બાદ પણ સામનો કરવો પડે છે ભ્રષ્ટાચારનો

ચિતાની વચ્ચે લોખંડીનો ઘોડી મૂકી લાકડાનો કરે છે બચાવ

અનેક વાર રજૂઆતો છતાં કોઈ પગલાં લેવાતા નથી

અમદાવાદના જમાલપુર સ્મશાન ગૃહમાં અંતિમ ક્રિયા દરમિયાન ચિતાની વચ્ચે લોખંડીનો ઘોડી મૂકી ઓછા લાકડા વાપરીને કોન્ટ્રકટર દ્વારા આર્થિક રીતે ફાયદો કરવામાં આવી રહ્યો છે. તેવા આક્ષેપ કરવામાં આવ્યા છે. જેની અનેક વાર રજુઆત કરવામાં આવી હોવા છતાં કોઈપણ પ્રકારના પગલાં લેવામાં આવતા નથી.

અમદાવાદ શહેરમાં અનેક સમસ્યા જોવા મળી રહી છે. જેમાં ખાસ કરીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બ્રિજ પ્રોજેકટમાં કોન્કટ્રાક્ટરો દ્વારા પણ ભ્રષ્ટાચાર સામે આવ્યો હતો. ત્યારે હવે સ્મશાન લાકડામાં પણ ભષ્ટાચાર કરવામા આવી રહ્યો છે. જેમાં સ્મશાનમાં ચિતા સળગાવવા માટે વચ્ચે લોખડી જાળી મૂકી ઓછા લાકડા મુકવામાં આવી રહ્યા છે. તેવો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભારતીય જનતા પાર્ટી શાસનમાં જીવતા જીવ ભ્રષ્ટચારનો સામનો તો કરી રહી છે. પરંતુ મર્યાબાદ પણ તેમને ભ્રષ્ટાચારનો સામનો કરવો પડી રહ્યો છે.અમદાવાદ કોર્પોરેશન દ્વારા 24 સ્મશાન બનાવવામાં આવ્યા છે. જેમાં 2 કોન્ટ્રાક્ટ 12 સ્મશાન જય શ્રી કૃષ્ણ સેવા સંઘ અને સંભવ સેવા સંઘને આપવામાં આવ્યા છે. જેમાં એક વ્યક્તિ પાછળ 240 કિલોથી 280 કિલો લાકડાં વાપરવામાં આવે છે. જેમાં પ્રતિ શબ માટે 780 રૂપિયા આપવામાં આવે છે. કોર્પોરેશન દ્વારા જે ડિઝાઇન તૈયાર કરવામાં આવી હતી તેમાં પણ છેડછાડ કરવામાં આવી છે. જેમાં ઓછા લાકડાંનો ઉપયોગ થાય તેવી ડિઝાઇન તૈયાર કરી છે.

અમદાવાદ શહેરમા આવેલ જમાલપુરના સ્મશાન ઉપરાંત પણ કોન્ટ્રાકટરો હેઠળ આવેલા બીજા સ્મશાન દુધેશ્વર,વસ્ત્રાલ,નારોલ માં પણ ગેરનીતિ કરવામાં આવી રહી છે. 240 કિલોથી વધુ લાકડાં વપરાતા હોય છે. જેમાં ઓછા લાકડાં વાપરીને ગેરનીતિ કરવામાં આવી રહી છે. આ બાબતની અનેકવાર રજુઆત કરવા છતાં કોઈ પણ નિરાકરણ કરવામાં આવતું નથી તો સરકાર લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.

Read the Next Article

ગુજરાતી ફિલ્મ નિર્માતા મહેશ જીરાવાલાનું પ્લેન ક્રેશમાં મોતની પુષ્ટિ, પરિવારે મૃતદેહ સ્વીકાર્યો

વિમાન દુર્ઘટના બાદ ગુમ થયેલા ગુજરાતી ફિલ્મમેકર મહેશ જીરાવાલાના DNA મેચ થવા છતાં પરિવાર માનવા તૈયાર નહોતો કે, તે મૃતદેહ મહેશનો છે. જ્યારે હવે ફિલ્મમેકરના મૃત્યુની પુષ્ટિ થઈ છે

New Update
Mahesh Jirawala

અમદાવાદથી લંડન જઈ રહેલા એર ઇન્ડિયાનું વિમાન 12 જૂને દુર્ઘટનાગ્રસ્ત થઈ બી.જે મેડિકલ હોસ્ટેલમાં ક્રેશ થયું હતું. જે દુર્ઘટનામાં 280થી વધુ લોકોના મૃત્યુ થયા છે. આ દુર્ઘટનામાં મૃતકોની ઓળખ માટે ડીએનએ મેચ કરવાની કાર્યવાહી ચાલી રહી છે. વિમાન દુર્ઘટના બાદ ગુમ થયેલા ગુજરાતી ફિલ્મમેકર મહેશ જીરાવાલાના DNA મેચ થવા છતાં પરિવાર માનવા તૈયાર નહોતો કેતે મૃતદેહ મહેશનો છે. જ્યારે હવે ફિલ્મમેકરના મૃત્યુની પુષ્ટિ થઈ છેત્યારે પરિવારને તેમનો મૃતદેહ સોંપવામાં આવ્યો છે.

અમદાવાદ વિમાન દુર્ઘટના બાદ ફિલ્મમેકર મહેશ જીરાવાલા ગુમ હોવાનું સામે આવ્યું હતું. જ્યારે મહેશ જીરાવાલાના DNA મેચ થવા છતાં તેમનું મૃત્યુ નીપજ્યું હોવાને લઈને પરિવાર માનવા તૈયાર નહોતો.

સમગ્ર મામલે પોલીસે સળગેલા એક્ટિવાના એન્જિન-ચેસીસ નંબર, સીસીટીવી સહિતના પુરાવા એકઠા કરીને મૃતકના પરિવારને માહિતી આપી હતી.આમ હવે જીરાવાલાના મોતની પુષ્ટિ થઈ છે, ત્યારે પરિવારે મહેશ જીરાવાલાનો મૃતદેહ સ્વીકાર્યો છે.

અમદાવાદના નરોડ વિસ્તારમાં રહેતા 34 વર્ષીય ગુજરાતી ફિલ્મ ડાયરેક્ટર મહેશ ગીરધરભાઈ કાલાવાડિયા ઉર્ફે જીરાવાલ ઘરથી નીકળ્યા હતા અને શાહીબાગ સિવિલ હોસ્પિટલની નજીકમાં ગુમ થયા હતા. આ મામલે કાર્તિકએ પોતાનો ભાઈ ગુમ થયાની નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ટેકનિકલ સોર્સ સહિતની પોલીસ તપાસમાં મહેશ વિમાન દુર્ઘટનામાં ભોગ બન્યો હોવાનું જાણવા મળ્યું હતું. પરંતુ પરિવાર આ વાતને માનવા તૈયાર ન હતો. જ્યારે દુર્ઘટનાગ્રસ્ત સ્થળેથી લેવામાં આવલા મૃતદેહ સાથે મહેશના પરિવારજનો DNA મેચ થતાં અને પોલીસે જરૂરી પુરાવા રજૂ કરતા અંતે મહેશનું મોત નીપજ્યું હોવાની પુષ્ટિ થઈ છે.