અમદાવાદ : CPCBના રિપોર્ટને લઈ સાબરમતી નદી પ્રદૂષણ અંગે હાઈકોર્ટે વ્યક્ત કરી ચિંતા…

સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડના રિપોર્ટમાં બહાર આવ્યું છે કે, અમદાવાદની સાબરમતી નદીનું પાણી પીવાલાયક રહ્યું નથી

New Update
અમદાવાદ : CPCBના રિપોર્ટને લઈ સાબરમતી નદી પ્રદૂષણ અંગે હાઈકોર્ટે વ્યક્ત કરી ચિંતા…

અમદાવાદમાં સાબરમતી નદીના શુદ્ધિકરણની વાતો વચ્ચે વાસ્તવિકતા અલગ છે. સાબરમતી નદી દેશની બીજા નંબરની સૌથી પ્રદૂષિત નદી હોવાનો CPCBના રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો થયો છે, ત્યારે ગુજરાત હાઈકોર્ટે સાબરમતી નદીના પ્રદૂષણને લઈને ચિંતા વ્યક્ત કરી છે.

Advertisment

સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડના રિપોર્ટમાં બહાર આવ્યું છે કે, અમદાવાદની સાબરમતી નદીનું પાણી પીવાલાયક રહ્યું નથી. સાબરમતી નદીની સફાઈ માટે કરોડો રૂપિયાનો ખર્ચ થાય છે. તેમ છતાં પણ સાબરમતી નદીની આ દશા થઇ છે. આ રિપોર્ટમાં ગુજરાતની અન્ય 12 નદીઓનો પણ સમાવેશ થયો છે. જેમાં ભાદર, અમલખાડી, ભોગાવો, ભુખી ખાડી, દમણગંગા, ચાણોદ, કોઠારા, ખારી, માહી કોટના, મિંધોલા, શેઢી, નિઝર, વિશ્વામિત્રીનો સમાવેશ થયો છે, ત્યારે હવે ગુજરાત હાઇકોર્ટે ચિંતા વ્યક્ત કરી છે 

સાબરમતી નદીમાં ફેલાઈ રહેલ ગંભીર અને જોખમી પ્રદૂષણ મુદ્દે દાખલ કરવામાં આવેલી સુઓમોટો જાહેર હિતની અરજીની સુનાવણીમાં ગુજરાત હાઈકોર્ટે GPCBના રિપોર્ટને રેકર્ડ પર રજૂ કરવા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને નિર્દેશ કર્યો હતો. હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સોનિયા ગોકાણી અને જસ્ટિસ સંદીપ એન. ભટ્ટની ખંડપીઠે આ બાબતે ભારે ગંભીરતાથી લઈને સાબરમતી નદીના પ્રદૂષણને અંગે ચિંતા વ્યક્ત કરી છે. આ મામલે વધુ સુનાવણી 4 સપ્તાહ બાદ આગામી તા. 17મી માર્ચે હાથ ધરવામાં આવનાર છે.

Advertisment
Read the Next Article

અમદાવાદ: સાણંદમાં 19 વર્ષીય યુવકની છરીના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી

પાનના ગલ્લા ઉપર જ 19 વર્ષીય યુવકનેછરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો હતો. 19 વર્ષીય ભરત બળદેવભાઈ પટેલ જેની પ્રેમ સંબંધના કારણે હત્યાનિપજાવી કાઢવામાં આવી

New Update
Sanand Murder
અમદાવાદ ગ્રામ્યના સાણંદ વિસ્તારમાં 19 વર્ષીય યુવકનીહત્યા થતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. સમગ્ર ઘટનાની જાણ સાણંદ GIDC પોલીસે તપાસ કરતાહત્યાનો આરોપી કાયદાના સંઘર્ષમાં આવેલો સગીર નિકળ્યો છે. જેણે પાનના ગલ્લા ઉપર જ 19 વર્ષીય યુવકનેછરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો હતો. 19 વર્ષીય ભરત બળદેવભાઈ પટેલ જેની પ્રેમ સંબંધના કારણે હત્યાનિપજાવી કાઢવામાં આવી છે.
Advertisment
મૃતક યુવક સાણંદ તાલુકાના જોલાપુર ગામમાં પાનનો ગલ્લોચલાવતો હતો. 21મી મેના રાત્રે મૃતક જ્યારે પાનના ગલ્લે બેઠો હતો ત્યારે સગીરયુવક ત્યા આવ્યો હતો. અને ગુટકા લેવાના બહાને મૃતક સાથે વાતચીત હાથ ઘરી હતી. મૃતકજ્યારે ગુટકા લેવા માટે બેધ્યાન થયો ત્યારે સગીરે તેની પાસે રહેલ છરીના 2-3 ઘા મૃતકની છાતીમાં ઝીંકી દીધા હતા.
આ ઘટના નજરે જોનાર વ્યક્તિઓએ તુરંત પોલીસને જાણ કરીને મૃતકનેપ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સારવાર માટે ખસેડ્યો હતો. જોકે ફરજ પર હાજર ડોક્ટરોએભરતને મૃત જાહેર કર્યો હતો. જેને લઈ સાણંદ GIDC પોલીસે ગુનો નોંધી તજવીજ હાથ ધરી હતી. અત્રે ઉલ્લેખનીયછે કે મૃતક યુવકની પ્રેમ સંબંધમાં હત્યા કરવામાં આવી છે મૃતક ભરત અને સગીરની બહેન વચ્ચે છેલ્લા 2 વર્ષથી પ્રેમસંબંધ હતો અને અગાઉ 6 મહિના પહેલા જ સગીર યુવકે તેની બહેન સાથેના પ્રેમસંબંધ બાબતેમૃતક વચ્ચે માથાકૂટ થઈ હતી. જેમાં સગીર યુવકે તેની બહેન સાથે પ્રેમ સંબંધ ન રાખવાતેમજ વાતચીત ન કરવા માટે ધમકી આપી હતી.
Advertisment