અમદાવાદ: હાઇકોર્ટ આગામી ત્રણ દિવસ બંધ રહેશે,17 ઓગષ્ટથી ફિઝિકલી સુનાવણી શરૂ થશે

હાઇકોર્ટમાં ફિઝિકલી સુનાવણી શરૂ થશે એ પૂર્વે સેનેટાઈઝ સહિતની કામગીરીને લઈ હાઇકોર્ટ આગામી ત્રણ દિવસ બંધ રહેશે

New Update
અમદાવાદ: હાઇકોર્ટ આગામી ત્રણ દિવસ બંધ રહેશે,17 ઓગષ્ટથી ફિઝિકલી સુનાવણી શરૂ થશે

રાજયમાં કોરોનાના કેસ ઘટ્યા છે ત્યારે 17 ઓગસ્ટથી હાઇકોર્ટમાં ફિઝિકલી સુનાવણી શરૂ થશે એ પૂર્વે સેનેટાઈઝ સહિતની કામગીરીને લઈ હાઇકોર્ટ આગામી ત્રણ દિવસ બંધ રહેશે

કોરોના મહામારીને કારણે છેલ્લા દોઢ વર્ષથી ગુજરાત હાઇકોર્ટ ઓનલાઇન અને અરજન્ટ હીયરીંગ કરવામાં આવતી હતી પરંતુ જે પ્રમાણે હવે કોરોનાના કેસ ઘટતા જોવા મળ્યા છે તેને પગલે હવે 17 ઓગસ્ટથી ગુજરાત હાઇકોર્ટ ફરીથી ફિઝીકલ શરૂ કરવામાં આવી રહી છે જેને પગલે હાલમાં ત્રણ દિવસ સુધી એટલે કે 14 ઓગસ્ટ સુધી ગુજરાત હાઇકોર્ટમાં સેનેટાઇઝીંગ અને ફોગીગનું કામ કરવામાં આવી રહ્યું છે જેથી ત્રણ દિવસ ગુજરાત હાઈ કોર્ટ બંધ રાખવામાં આવી છે.દોઢ વર્ષ બાદ ગુજરાત હાઇકોર્ટ ફરી એકવાર શરૂ થવા જઇ રહી છે ત્યારે હાલમાં ત્રણ દિવસ સુધી ગુજરાત હાઇકોર્ટની તમામ કામગીરી બંધ રાખવામાં આવી છે. ત્રણ દિવસ સુધી ગુજરાત હાઇકોર્ટમાં સેનેટાઇઝિંગ અને ફોગીગ નું કામ કરવામાં આવી રહ્યું છે. કોરોના મહામારીને કારણે છેલ્લા દોઢ વર્ષથી ગુજરાત હાઇકોર્ટમાં ઓનલાઇન કરવામાં આવતું હતું પરંતુ આજે કોરોના કેસમાં જે પ્રમાણે ઘટાડો જોવા મળી રહ્યો છે તે જોતા હાઇકોર્ટ હવે 17 ઓગસ્ટથી ફિઝિકલ શરૂ કરવામાં આવી રહી છે.

Read the Next Article

ગુજરાતી ફિલ્મ નિર્માતા મહેશ જીરાવાલાનું પ્લેન ક્રેશમાં મોતની પુષ્ટિ, પરિવારે મૃતદેહ સ્વીકાર્યો

વિમાન દુર્ઘટના બાદ ગુમ થયેલા ગુજરાતી ફિલ્મમેકર મહેશ જીરાવાલાના DNA મેચ થવા છતાં પરિવાર માનવા તૈયાર નહોતો કે, તે મૃતદેહ મહેશનો છે. જ્યારે હવે ફિલ્મમેકરના મૃત્યુની પુષ્ટિ થઈ છે

New Update
Mahesh Jirawala

અમદાવાદથી લંડન જઈ રહેલા એર ઇન્ડિયાનું વિમાન 12 જૂને દુર્ઘટનાગ્રસ્ત થઈ બી.જે મેડિકલ હોસ્ટેલમાં ક્રેશ થયું હતું. જે દુર્ઘટનામાં 280થી વધુ લોકોના મૃત્યુ થયા છે. આ દુર્ઘટનામાં મૃતકોની ઓળખ માટે ડીએનએ મેચ કરવાની કાર્યવાહી ચાલી રહી છે. વિમાન દુર્ઘટના બાદ ગુમ થયેલા ગુજરાતી ફિલ્મમેકર મહેશ જીરાવાલાના DNA મેચ થવા છતાં પરિવાર માનવા તૈયાર નહોતો કેતે મૃતદેહ મહેશનો છે. જ્યારે હવે ફિલ્મમેકરના મૃત્યુની પુષ્ટિ થઈ છેત્યારે પરિવારને તેમનો મૃતદેહ સોંપવામાં આવ્યો છે.

અમદાવાદ વિમાન દુર્ઘટના બાદ ફિલ્મમેકર મહેશ જીરાવાલા ગુમ હોવાનું સામે આવ્યું હતું. જ્યારે મહેશ જીરાવાલાના DNA મેચ થવા છતાં તેમનું મૃત્યુ નીપજ્યું હોવાને લઈને પરિવાર માનવા તૈયાર નહોતો.

સમગ્ર મામલે પોલીસે સળગેલા એક્ટિવાના એન્જિન-ચેસીસ નંબર, સીસીટીવી સહિતના પુરાવા એકઠા કરીને મૃતકના પરિવારને માહિતી આપી હતી.આમ હવે જીરાવાલાના મોતની પુષ્ટિ થઈ છે, ત્યારે પરિવારે મહેશ જીરાવાલાનો મૃતદેહ સ્વીકાર્યો છે.

અમદાવાદના નરોડ વિસ્તારમાં રહેતા 34 વર્ષીય ગુજરાતી ફિલ્મ ડાયરેક્ટર મહેશ ગીરધરભાઈ કાલાવાડિયા ઉર્ફે જીરાવાલ ઘરથી નીકળ્યા હતા અને શાહીબાગ સિવિલ હોસ્પિટલની નજીકમાં ગુમ થયા હતા. આ મામલે કાર્તિકએ પોતાનો ભાઈ ગુમ થયાની નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ટેકનિકલ સોર્સ સહિતની પોલીસ તપાસમાં મહેશ વિમાન દુર્ઘટનામાં ભોગ બન્યો હોવાનું જાણવા મળ્યું હતું. પરંતુ પરિવાર આ વાતને માનવા તૈયાર ન હતો. જ્યારે દુર્ઘટનાગ્રસ્ત સ્થળેથી લેવામાં આવલા મૃતદેહ સાથે મહેશના પરિવારજનો DNA મેચ થતાં અને પોલીસે જરૂરી પુરાવા રજૂ કરતા અંતે મહેશનું મોત નીપજ્યું હોવાની પુષ્ટિ થઈ છે.