Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : રામોલમાં થયેલી મહિલાની હત્યાનો ભેદ ઉકેલાયો, આરોપી જેલના સળિયા પાછળ ધકેલાયો...

અમદાવાદ શહેરમાં 2 દિવસ પહેલા રામોલ સી.ટી.એમ બ્રિજ નીચેથી મહિલાનો હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો,

X

અમદાવાદ શહેરમાં 2 દિવસ પહેલા રામોલ સી.ટી.એમ બ્રિજ નીચેથી મહિલાનો હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો, ત્યારે ક્રાઇમ બ્રાન્ચ પોલીસે હત્યારાને ઝડપી પાડી ગુન્હાનો ભેદ ઉકેલી કાઢ્યો છે.

અમદાવાદમાં 2 દિવસ પહેલા રામોલ સી.ટી.એમ બ્રિજ નીચેથી એક મહિલાનો હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો, ત્યારે ક્રાઇમ બ્રાન્ચ પોલીસની તપાસમાં આ મહિલાનું નામ તુલસીબેન ભાટી હોવાનું સામે આવ્યું હતું. જેમાં ઊંડાણપૂર્વક તપાસ કરતાં માલુમ પડ્યું કે, તુલસીબેનની હત્યા ગળું દબાવીને કરવામાં આવ્યું હતું. જેમાં ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે શંકર ઉર્ફે ભૂરિયો ખોખરીયાવાળાને પકડી પાડવામાં આવ્યો છે. આ હત્યા કરવા પાછળનું કારણ મૃતક તુલસીબેનના આડા સબંધ હતા, અને તે એક્સપ્રેસ હાઇવે પાસે બાંકડા પર વિરસિંહ નામના વ્યક્તિ જોડે બેઠી હતી, ત્યારે આરોપી શંકર ત્યાંથી નીકળતા તુલસીને જોઈ હતી, ત્યારબાદ આ મામલે તુલસીએ આરોપી સાથે ઝપાઝપી કરી હતી. જેમાં શંકરે તેને ગળું દબાવી મોતને ઘાટ ઉતારી દીધી હતી. ત્યારબાદ શંકર તુલસીના મૃતદેહને રિક્ષામાં પાછળ મુકી સી.ટી.એમ. બ્રિજ નીચે રિક્ષા મુકી ફરાર થઈ ગયો હતો, ત્યારે ક્રાઇમ બ્રાન્ચે આરોપીને ઝડપી પાડી રામોલ પોલીસને હવાલે કરી વધુ તપાસ હાથ ધરી છે.

Next Story