Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ:સુરીનામના રાષ્ટ્રપતિ પહોંચ્યા પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવમાં,આકર્ષણ જોઈ થયા અભિભૂત

અમદાવાદ ખાતે ચાલી રહેલા શતાબ્દી મહોત્સવમાં દેશ વિદેશના અનેક સેલિબ્રિટી અને રાજનાયક મુલાકાત લઈ રહ્યા છે

X

અમદાવાદ ખાતે ચાલી રહેલા શતાબ્દી મહોત્સવમાં દેશ વિદેશના અનેક સેલિબ્રિટી અને રાજનાયક મુલાકાત લઈ રહ્યા છે ત્યારે ગુજરાતની મુલાકાતે આવેલા સુરીનામના રાષ્ટ્રપતિ ચંદ્રિકા પ્રસાદ સંતોખીએ પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની મુલાકાત કરી હતી કરી હતી.

પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવનો આવતીકાલે અંતિમ દિવસ છે ત્યારે સુરીનામના રાષ્ટ્રપતિ ચંદ્રિકા પ્રસાદ સંતોખી અહી દર્શન કરવા પહોંચ્યા હતા.BAPS સંસ્થાના બ્રહ્મવિહારી સ્વામીએ મુખ્ય દ્વાર પાસે તેમને આવકાર્યા હતા.પ્રમુખસ્વામી મહારાજ નગરમાં નિર્માણ પામેલી પ્રમુખસ્વામી મહારાજની 30 ફૂટની વિશાળ પ્રતિમા સમક્ષ તેમણે પુષ્પાંજલિ અર્પણ કરી.સાથોસાથ અહીં નિર્માણ પામેલી દિલ્હી અક્ષરધામની રેપ્લિકા પર પહોંચીને તેમણે ભગવાન સ્વામિનારાયણના દર્શન કર્યા હતા.ઉપરાંત નગરના વિવિધ આકર્ષણો તેમણે નિહાળ્યા હતા.

Next Story