અમદાવાદ : 700 TRB જવાનોની ભરતી પ્રકિયા થશે શરૂ, જાણો કઈ રીતે થાય છે ભરતી

અમદાવાદ શહેરને વધુ 700 જેટલા નવા ટીઆરબી જવાનો મળશે. અમદાવાદ શહેરના અલગ અલગ કેન્દ્રો પર આ પરીક્ષા લેવામાં આવશે

New Update
અમદાવાદ : 700 TRB જવાનોની ભરતી પ્રકિયા થશે શરૂ, જાણો કઈ રીતે થાય છે ભરતી

અમદાવાદ શહેરને વધુ 700 જેટલા નવા ટીઆરબી જવાનો મળશે. અમદાવાદ શહેરના અલગ અલગ કેન્દ્રો પર આ પરીક્ષા લેવામાં આવશે અને પરીક્ષા ઉર્તીણ કરનાર જવાનો ટીઆરબી બ્રિગેડમાં સામેલ કરવામાં આવશે.

Advertisment W3.CSS

અમદાવાદ શહેરમાં ટ્રાફિક પોલીસની મદદમાં ટીઆરબી જવાનો ફરજ પર હોઈ છે ત્યારે અમદાવાદના વધુ 700 નવા ટીઆરબી જવાનો મળશે.આવનાર રવિવારે આ ટીઆરબી જવાનોની લેખિત પરીક્ષા લેવામાં આવશે અંદાજે 1500 જવાનોએ શારીરિક પરીક્ષા પાસ કર્યા બાદ તેમની પસંદગી કરવામાં આવી છે અમદાવાદ શહેરના અલગ અલગ કેન્દ્રો પર આ પરીક્ષા લેવામાં આવશે અને પરીક્ષા ઉર્તીણ કરનાર જવાનો ટીઆરબી બ્રિગેડમાં સામેલ કરવામાં આવશે અને શહેરના અલગ અલગ પોઇન્ટ પર ટ્રાફિક પોલીસ સાથે ફરજ બજાવશે ઘણા સમયથી શહેરમાં ટીઆરબી જવાનો સાથે પબ્લિકના ઘર્ષણના બનાવો વધ્યા હતા ત્યારબાદ અનેક જવાનોને ફરજમાંથી દૂર પણ કરવામાં આવ્યા હતા, ત્યારે હવે ચોકસાઈ રાખી આ જવાનોની ભરતી કરવામાં આવશે.