અમદાવાદ: વ્યાજખોરોનો આતંક ભૂતકાળ બની જશે, ગૃહપ્રધાન હર્ષ સંઘવીનો દાવો

અમદાવાદ પોલીસ દ્વારા વ્યાજખોરોના આતંકને ડામવા માટે લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update
અમદાવાદ: વ્યાજખોરોનો આતંક ભૂતકાળ બની જશે, ગૃહપ્રધાન હર્ષ સંઘવીનો દાવો

અમદાવાદ પોલીસ દ્વારા વ્યાજખોરોના આતંકને ડામવા માટે લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શહેરના અલગ અલગ વિસ્તારના પ્રમાણે ડોમ બનાવવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી પણ હાજર રહ્યા હતા

Advertisment

રાજયમાં ગૃહ વિહાગના આદેશ બાદ ઠેર ઠેર લોક દરબાર યોજી વ્યાજખોરો સામે મુહિમ ચલાવવામાં આવી રહી છે જે અંતર્ગત અમદાવાદમાં લોક દરબારનું આયોજન કરવાં આવ્યું હતું.અમદાવાદ પોલીસ દ્વારા જે તે વિસ્તારના ડીસીપી તથા સ્થાનિક પીઆઇને આ લોક દરબારમાં હાજર રખાયા હતા.આ કાર્યક્રમમાં પોલીસને વ્યાજખોરો સામે 150 જેટલી રજૂઆતો મળી હતી.પોલીસ દ્વારા મળેલી રજૂઆતને ધ્યાનમાં રાખી તેને ખરાઈ કરી જો યોગ્ય લાગશે, તો વ્યાજખોરો સામે ફરિયાદ નોંધવામાં આવશે.લોક દરબારમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ આવ્યા હતા.દરેક ઝોનમાં વ્યાજખોરો વિરુદ્ધમાં રજૂઆત કરવા આવેલા લોકો સાથે વાત કરી હતી. ત્યારબાદ હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, નાના વેપારીઓથી લઈને ઘણી વખત મોટા બિઝનેસમેન પણ વ્યાજના ચક્કરમાં પરેશાન થઈ જતા હોય છે. વ્યાજખોરોના આતંકથી તમામ ખેડૂતોને મુક્ત કરાવવા માટેનું અભિયાન ચાલી રહ્યું છે, જેને પગલે હવે વ્યાજખોરોનો આતંક એ ભૂતકાળ બની જશે.

Read the Next Article

અમદાવાદ : પૂરપાટ ઝડપે ધસી આવેલ કારના ચાલકે ટક્કર મારતા મોપેડ સવાર 2 યુવકોના મોત, પોલીસ તપાસ શરૂ...

મોપેડ પર જઈ રહેલા અકરમ કુરેશી અને અશફાક અજમેરી નામના યુવકને પૂરપાટ ઝડપે ધસી આવેલ  કારના ચાલકે ટક્કર મારી હતી. જેમાં મોપેડ સવાર બન્ને યુવકો 100 ફૂટ દૂર સુધી ફંગોળાયા

New Update
  • નહેરુનગર વિસ્તારમાં કાર અને મોપેડ વચ્ચે અકસ્માત

  • પૂરપાટ ઝડપે ધસી આવેલ કારના ચાલકે ટક્કર મારી

  • મોપેડ સવાર બન્ને યુવકો 100 ફૂટ દૂર સુધી ફંગોળાયા

  • ભંયકર અકસ્માત સર્જાતા 2 યુવકોના નીપજ્યાં છે મોત

  • ફરાર કારચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી પોલીસ તપાસ શરૂ

અમદાવાદ શહેરના નહેરુનગર વિસ્તારમાં કાર અને મોપેડ વચ્ચે અકસ્માત સર્જાતા 2 યુવકોના મોત નીપજ્યાં હતાજ્યારે ફરાર કાર ચાલક વિરુદ્ધ પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી અનુસારઅમદાવાદ શહેરના નહેરુનગર વિસ્તારમાં ઝાંસીની રાણીBRTS બસ સ્ટેશન પાસે ગત તા. 10 ઓગસ્ટની મોડીરાતે ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાંGJ-01-PX-9355 નંબરની મોપેડ પર જઈ રહેલા અકરમ કુરેશી અને અશફાક અજમેરી નામના યુવકને પૂરપાટ ઝડપે ધસી આવેલGJ-27-DM-9702 નંબરની કારના ચાલકે ટક્કર મારી હતી. જેમાં મોપેડ સવાર બન્ને યુવકો 100 ફૂટ દૂર સુધી ફંગોળાયા હતા.

ત્યારે ગંભીર ઇજાના મોપેડ પર સવાર અકરમ કુરેશીનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતુંજ્યારે અશફાક અજમેરીને સારવાર અર્થે સોલા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં હતોજ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. ગંભીર અકસ્માતમાં બન્ને યુવકના મોત નીપજ્યાં છેજ્યારે અકસ્માત બાદ કારચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. પોલીસે અકસ્માતે મોતનો ગુન્હો નોંધી ફરાર કાર ચાલકની શોધખોળ હાથ ધરી છે.

Latest Stories