અમદાવાદ: ટ્રાફિકથી મળશે મુક્તિ,એપ લોન્ચ કરવામાં આવી

શહેરમાં સૌથી વિકટ બની રહેલી ટ્રાફિકની સમસ્યાના નિરાકરણ માટે શહેટ ટ્રાફિક પોલીસ દ્વારા એક એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે.

New Update
અમદાવાદ: ટ્રાફિકથી મળશે મુક્તિ,એપ લોન્ચ કરવામાં આવી

અમદાવાદ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. શહેરમાં સૌથી વિકટ બની રહેલી ટ્રાફિકની સમસ્યાના નિરાકરણ માટે શહેટ ટ્રાફિક પોલીસ દ્વારા એક એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે. જેમાં રીયલ ટાઇમ અપડેટ ગુગલ મેપ થી શહેરીજનોને શહેરમાં ટ્રાફિક અંગેની માહિતી મળી શકશે.શહેર ટ્રાફિક પોલીસ પોલીસ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ટ્રાફિકની લાઈવ અપડેટ આપતી 'રોડ ઇઝ' નામની એક મોબાઈલ એપ્લિકેશન લૉન્ચ કરવામાં આવી છે. જેનો ઉપયોગ કરીને શહેરીજનો ટ્રાફિક જામની સ્થિતિથી બચી શકશે. જેના કારણે વાહનચાલકોને ટ્રાફિકજામની સ્થિતિથી પરેશાન થવું નહીં પડે અને નોકરી ધંધા કે અન્ય કામે સમયસર પહોંચી શકાશે.

આ એપ્લિકેશનમાં અમદાવાદ ટ્રાફિક પોલીસ મેપમાં માહિતી આપશે. ટ્રાફિક પોલીસ વિભાગ અધિકારીઓ અને વિવિધ પોઇન્ટ પર હાજર પોલીસ જવાન આ અપડેટ આપશે. જે માટે નિષ્ણાંતો દ્વારા ટ્રાફિક પોલીસ કર્મચારીઓને તાલીમ પણ આપવામાં આવી રહી છેઆ એપ્લિકેશનથી રિયલ ટાઈમ ટ્રાફિક અપડેટ મળશે. ગુગલ હવે જ્યાં ટ્રાફિક હશે ત્યાંના ફોટા બતાવી ડાયવર્ઝન પણ આપશે. આ એપ રીયલ ટાઇમ અપડેટ ગુગલ મેપ થી શહેરીજનોને શહેરમાં ટ્રાફિક અંગેની માહિતી મળી શકશે. આ મોબાઈલ એપ્લિકેશન પર 10થી 15 મિનિટનો અપડેટ સાથે રીયલ ટાઇમ ગુગલ મેપથી વિગતો મળી શકશે

Read the Next Article

ગુજરાતી ફિલ્મ નિર્માતા મહેશ જીરાવાલાનું પ્લેન ક્રેશમાં મોતની પુષ્ટિ, પરિવારે મૃતદેહ સ્વીકાર્યો

વિમાન દુર્ઘટના બાદ ગુમ થયેલા ગુજરાતી ફિલ્મમેકર મહેશ જીરાવાલાના DNA મેચ થવા છતાં પરિવાર માનવા તૈયાર નહોતો કે, તે મૃતદેહ મહેશનો છે. જ્યારે હવે ફિલ્મમેકરના મૃત્યુની પુષ્ટિ થઈ છે

New Update
Mahesh Jirawala

અમદાવાદથી લંડન જઈ રહેલા એર ઇન્ડિયાનું વિમાન 12 જૂને દુર્ઘટનાગ્રસ્ત થઈ બી.જે મેડિકલ હોસ્ટેલમાં ક્રેશ થયું હતું. જે દુર્ઘટનામાં 280થી વધુ લોકોના મૃત્યુ થયા છે. આ દુર્ઘટનામાં મૃતકોની ઓળખ માટે ડીએનએ મેચ કરવાની કાર્યવાહી ચાલી રહી છે. વિમાન દુર્ઘટના બાદ ગુમ થયેલા ગુજરાતી ફિલ્મમેકર મહેશ જીરાવાલાના DNA મેચ થવા છતાં પરિવાર માનવા તૈયાર નહોતો કેતે મૃતદેહ મહેશનો છે. જ્યારે હવે ફિલ્મમેકરના મૃત્યુની પુષ્ટિ થઈ છેત્યારે પરિવારને તેમનો મૃતદેહ સોંપવામાં આવ્યો છે.

અમદાવાદ વિમાન દુર્ઘટના બાદ ફિલ્મમેકર મહેશ જીરાવાલા ગુમ હોવાનું સામે આવ્યું હતું. જ્યારે મહેશ જીરાવાલાના DNA મેચ થવા છતાં તેમનું મૃત્યુ નીપજ્યું હોવાને લઈને પરિવાર માનવા તૈયાર નહોતો.

સમગ્ર મામલે પોલીસે સળગેલા એક્ટિવાના એન્જિન-ચેસીસ નંબર, સીસીટીવી સહિતના પુરાવા એકઠા કરીને મૃતકના પરિવારને માહિતી આપી હતી.આમ હવે જીરાવાલાના મોતની પુષ્ટિ થઈ છે, ત્યારે પરિવારે મહેશ જીરાવાલાનો મૃતદેહ સ્વીકાર્યો છે.

અમદાવાદના નરોડ વિસ્તારમાં રહેતા 34 વર્ષીય ગુજરાતી ફિલ્મ ડાયરેક્ટર મહેશ ગીરધરભાઈ કાલાવાડિયા ઉર્ફે જીરાવાલ ઘરથી નીકળ્યા હતા અને શાહીબાગ સિવિલ હોસ્પિટલની નજીકમાં ગુમ થયા હતા. આ મામલે કાર્તિકએ પોતાનો ભાઈ ગુમ થયાની નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ટેકનિકલ સોર્સ સહિતની પોલીસ તપાસમાં મહેશ વિમાન દુર્ઘટનામાં ભોગ બન્યો હોવાનું જાણવા મળ્યું હતું. પરંતુ પરિવાર આ વાતને માનવા તૈયાર ન હતો. જ્યારે દુર્ઘટનાગ્રસ્ત સ્થળેથી લેવામાં આવલા મૃતદેહ સાથે મહેશના પરિવારજનો DNA મેચ થતાં અને પોલીસે જરૂરી પુરાવા રજૂ કરતા અંતે મહેશનું મોત નીપજ્યું હોવાની પુષ્ટિ થઈ છે.