/connect-gujarat/media/media_files/2025/12/07/amit-shah-gujarat-2025-12-07-18-10-15.jpg)
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત પ્રવાસે આવ્યા છે. તેમણે અમદાવાદમાં વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા છે.અમિત શાહના હસ્તે થલતેજમાં 861 EWS આવાસનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
કેન્દ્રીય ગૃહમંત્રીએ થલતેજમાં 861 EWS આવાસનું લોકાર્પણ કરતા કહ્યું હતું કે, ખરેખર મારા માટે આજનો દિવસ આનંદનો દિવસ છે. અનેક પરિવારને ઘરનું ઘર મળે છે. આ મકાન લોકોના જીવનમાં નવી શરૂઆત કરશે. અહીં અભ્યાસ, આરોગ્ય અને સામૂહિક મનોરંજનની વ્યવસ્થા કરી છે. વડીલો માટે બેસવા માટેની પણ અહીં વ્યવસ્થા કરવામાં આવી છે.
અમદાવાદના થલતેજ વોર્ડમાં આજે અનેક પરિવારોના સપના સાકાર થયા!
— BJP Gujarat (@BJP4Gujarat) December 7, 2025
માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી @AmitShah એ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ તૈયાર થયેલા 861 EWS આવાસોનું લોકાર્પણ કર્યું.
આ અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ આવાસ લાભાર્થીઓના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવશે અને તેમને… pic.twitter.com/EjV8RtdpkR
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગોતામાં મીની સ્પોર્ટ્સ કોમ્પલેક્ષનું ખાતમુહૂર્ત કર્યું હતું. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે, ગોતામાં ભવ્ય ખેલ સંકુલ બનાવવામાં આવશે.PM મોદીએ ખેલો ગુજરાતની શરૂઆત કરી હતી.ખેલ સાંસદ મહોત્સવમાં 1.51 લાખ યુવાનોએ ભાગ લીધો હતો. બ્રિજની નીચે ખેલ સંકુલ અને લાયબ્રેરી બનાવ્યા છે.2036માં ઓલિમ્પિક પણ અમદાવાદમાં જ યોજાશે. આજે વિવિધ વિકાસકામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા છે.
લોકોમાં વડાપ્રધાન મોદીની લોકચાહના વધી રહી છે. બિહારમાં પણ કોંગ્રેસનો સફાયો થયો છે. બિહારમાં NDAની સરકાર બની છે. દેશની જનતા કોંગ્રેસને સ્વીકારતી નથી.બંગાળ અને તમિલનાડુમાં પણ ભાજપની સરકાર બનશે.