અમદાવાદ: અટલબ્રિજની સાંસદ કિરીટ પટેલે લીધી મુલાકાત,કહ્યું વિકાસનું ઉત્તમ ઉદાહરણ એટલે સાબરમતી નદી

અટલબ્રિજની પશ્ચિમ લોકસભાના સાંસદ કિરીટ પટેલ, તેમજ કાર્યકર્તાઓ દ્વારા મુલાકાત લેવામાં આવી

New Update
અમદાવાદ: અટલબ્રિજની સાંસદ કિરીટ પટેલે લીધી મુલાકાત,કહ્યું વિકાસનું ઉત્તમ ઉદાહરણ એટલે સાબરમતી નદી

અમદાવાદ શહેરમાં સાબરમતી રિવરફ્રન્ટ તેમજ સાબરમતી નદી ઉપર બનાવેલ અટલબ્રિજની પશ્ચિમ લોકસભાના સાંસદ કિરીટ પટેલ સહિતના આગેવાનોએ મુલાકાત લીધી હતી અમદાવાદ શહેરમાં સાબરમતી રિવરફ્રન્ટ તેમજ સાબરમતી નદી ઉપર બનાવેલ અટલબ્રિજની પશ્ચિમ લોકસભાના સાંસદ કિરીટ પટેલ, તેમજ કાર્યકર્તાઓ દ્વારા મુલાકાત લેવામાં આવી હતી જેમાં તેમણે જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યપ્રધાન સમયગાળામાં ગુજરાતનો વિકાસ ખૂબ જ મોટા પ્રમાણમાં કર્યો છે અને તે ગુણત્તમ વિકાસના મોડલ થકી દેશના વડાપ્રધાનના પદ પર છેલ્લા 9 વર્ષથી હવે દેશનો વિકાસ કરી રહ્યા છે.

સંસદ કિરીટ પટેલે જણાવ્યું હતું કે આપણો દેશ 1947માં આઝાદ થયો હતો.ત્યારથી લઈને અત્યાર સુધી કેટલીય સરકાર આવી પણ હજુ જે છેલ્લા 9 વર્ષ થયો છે. તેટલો વિકાસ ક્યાં જોવા મળ્યો નથી.આ દેશમાં ભરપૂર ક્ષમતા હતી.તેનો ભરપૂર વિકાસ કરી શકાય પણ તે સદભાગ્ય આપણે મળ્યું અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેનો અવિરત વિકાસ કરી રહ્યા છે. વડાપ્રધાને દેશના ખૂબ મોટાં પ્રમાણ જોવા મળી રહ્યું છે. ગુજરાતમાં પણ 13 વર્ષથી શાસન કર્યું હતું તેમને ગુજરાતનો પણ વિકાસ કાર્યો જેનું ઉત્તમ નમૂનો સાબરમતી નદીમાં જોવા મળી રહી છે.

Read the Next Article

અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ રદ, ટેકઓફ પહેલાં ખામી સર્જાઈ

અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ રદ કરવામાં આવી છે કારણ કે તેમાં ટેકઓફ પહેલાં ખામી સર્જાઈ હતી. જોકે, ફ્લાઇટ રદ થવાથી મુસાફરોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો

New Update
AMADAVAD PALIN RAD

ગયા અઠવાડિયે અમદાવાદમાં થયેલા ભયાનક વિમાન દુર્ઘટના બાદ, ઘણી સાવધાની રાખવામાં આવી રહી છે. અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ રદ કરવામાં આવી છે કારણ કે તેમાં ટેકઓફ પહેલાં ખામી સર્જાઈ હતી. જોકે, ફ્લાઇટ રદ થવાથી મુસાફરોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે.

વિમાન દુર્ઘટના પછી પહેલીવાર એર ઇન્ડિયાની ફ્લાઇટ (AI-159) લંડન જતી હતી, પરંતુ પ્રસ્થાન પહેલાં, ફ્લાઇટની તપાસ કરવામાં આવી અને તેમાં ટેકનિકલ ખામી જોવા મળી અને પછી તેને ફ્લાઇટ માટે રદ કરવામાં આવી. આ ફ્લાઇટ ક્યારે ઉડશે તે અંગે કોઈ માહિતી નથી. આ ફ્લાઇટ કાલે ઉડશે કે નહીં તે અંગે કંઈ કહેવામાં આવ્યું નથી.
પ્રાપ્ત માહિતી અનુસાર, ટેકઓફ પહેલાં ફ્લાઇટમાં ખામી જોવા મળી હતી, જેના પછી ફ્લાઇટ રદ કરવામાં આવી હતી. જોકે, ફ્લાઇટ રદ થવાને કારણે ત્યાં હાજર ઘણા મુસાફરોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આ ફ્લાઇટમાં મોટાભાગના લોકો રાજકોટ, આણંદ, હાલોલ, ખંભાતના મુસાફરો છે.

ફ્લાઇટ રદ કરવા અંગે મુસાફરોએ જણાવ્યું હતું કે એર ઇન્ડિયાની ટીમે જણાવ્યું હતું કે ફ્લાઇટ રદ કરવામાં આવી છે. AI 171 ને બદલે, હવે પ્લેનને AI 159 નંબર આપવામાં આવ્યો છે.પ્રાપ્ત માહિતી અનુસાર, આ ફ્લાઇટ આજે બપોરે 1:10 વાગ્યે ઉપડવાની હતી. પરંતુ સવારથી ફ્લાઇટ મોડી પડી રહી હતી. જોકે, હવે ખામીને કારણે આ ફ્લાઇટ રદ કરવામાં આવી છે.ગયા અઠવાડિયે ગુરુવારે અમદાવાદના મેઘનગરમાં થયેલા વિમાન દુર્ઘટના બાદ, એર ઇન્ડિયાની ફ્લાઇટ્સને સતત નુકસાન થઈ રહ્યું છે.