અમદાવાદ’નો સ્થાપના દિવસ : મહાશિવરાત્રિ પર્વની ઉજવણી સાથે નગરદેવી ભદ્રકાળી માતાનો રથ નગરયાત્રાએ નીકળ્યો...

રાજ્યના સહકારમંત્રી જગદીશ પંચાલ અને અમદાવાદનાં મૈયર પ્રતિભા જૈન દ્વારા 7.45 વાગ્યે પહિંદવિઘિ કરી નગરદેવી ભદ્રકાળી માતાના રથનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું

New Update
  • તા. 26 ફેબ્રુઆરીએટલે અમદાવાદનો સ્થાપના દિવસ

  • તો બીજી તરફમહાશિવરાત્રિ મહાપર્વની પણ ઉજવણી

  • મનપામાણેક બુરજના વંશજોનગરજનો દ્વારા ઉજવણી

  • નગરદેવી ભદ્રકાળી માતાના રથની નગરયાત્રા નીકળી

  • વિવિધ ધાર્મિક કાર્યક્રમો સહિત ઉજવણી કરવામાં આવી

આજરોજ તા. 26 ફેબ્રુઆરીએટલે અમદાવાદનો સ્થાપના દિવસતો બીજી તરફમહાશિવરાત્રિનું મહાપર્વ છેત્યારે અમદાવાદ મહાનગરપાલિકામાણેક બુરજના વંશજો તેમજ નગરજનો દ્વારા વિવિધ ધાર્મિક કાર્યક્રમો થકી અમદાવાદનો સ્થાપના દિવસ અને મહાશિવરાત્રિ પર્વની ઉજવણી કરવામાં આવી હતી.

તા. 26મી ફેબ્રુઆરીવર્ષ 1411માં અહમદશાહે માણેક બુરજ પાસે ઇંટ મુકીને અમદાવાદની સ્થાપના કરી હતી. આજના દિવસે માણેક બુરજના વંશજો દ્વારા માણેકનાથ મંદિર પર ધજા ચડાવી આરતી કરવામાં આવે છે.

તો બીજી તરફઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ અમદાવાદના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. રાજ્યના સહકારમંત્રી જગદીશ પંચાલ અને અમદાવાદનાં મૈયર પ્રતિભા જૈન દ્વારા 7.45 વાગ્યે પહિંદવિઘિ કરી નગરદેવી ભદ્રકાળી માતાના રથનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.

6.25 કિ.મી. લાંબી નગરયાત્રામાં મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટ્યા હતાજ્યારે અમદાવાદ શહેર પોલીસ દ્વારા માતાજીને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. ત્યારબાદ ઢોલ-નગારાંશરણાઈધજા-ખુલ્લી જીપ અને વાહનો સાથે રથયાત્રા શહેરના રાજમાર્ગો પર નીકળી હતી. આ રથયાત્રામાં અનેક અખાડા પણ જોડાયા હતા. નગરદેવી ભદ્રકાળી માતાજીની યાત્રા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ નિજ મંદિરે પરત પહોચી હતીજ્યાં હવન અને ભંડારાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

Read the Next Article

અમદાવાદ શહેર પોલીસનું “એક નયી સોચ” અભિયાન, શાળામાં વિદ્યાર્થીઓને ભણાવ્યા સલામતીના પાઠ...

અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ અને સતર્કતા ગ્રુપના સંયુક્ત ઉપક્રમે નવા નરોડા રોડ પર આવેલ એસ.એમ. શિક્ષણ સંકુલ ખાતે “એક નયી સોચ” અભિયાનનું આયોજન કરવામાં આવ્યું

New Update
  • અમદાવાદ શહેર પોલીસનુંએક નયી સોચ” અભિયાન

  • નરોડાની એસ.એમ.શિક્ષણ સંકુલ ખાતે કાર્યક્રમ યોજાયો

  • શાળાના વિદ્યાર્થી બાળકો ભણ્યા સલામતીના અનેક પાઠ

  • ટ્રાફિક નિયમનું પાલન કરવા પરિવારજનોને ફરજ પાડશે

  • સંયુક્ત પોલિસ કમિશનર સહિતના અધિકારીઓની હાજરી

અમદાવાદ શહેરના નવા નરોડા રોડ પર આવેલ એસ.એમ. શિક્ષણ સંકુલ ખાતે શહેર ટ્રાફિક પોલીસ અને સતર્કતા ગ્રુપ દ્વારાએક નયી સોચ” અભિયાન અંતર્ગત નાના બાળકો સલામતીના પાઠ ભણ્યા હતા. જે બાળકો હવે પરિવારજનોને હેલ્મેટ પહેરવા તેમજ ટ્રાફિક નિયમનું પાલન કરવા ફરજ પાડશે.

અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ અને સતર્કતા ગ્રુપના સંયુક્ત ઉપક્રમે નવા નરોડા રોડ પર આવેલ એસ.એમ. શિક્ષણ સંકુલ ખાતેએક નયી સોચ” અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત શહેરના માર્ગો પર હેલ્મેટ પહેર્યા વગર બેફામ ઝડપે દોડી રહેલા વાહન ચાલકોને તેમના જ સંતાનો હેલ્મેટ પહેરવા ફરજ પાડશે તે અંગે સંયુક્ત પોલિસ કમિશનર એન.એન.ચૌધરીએ બાળકોને સરળ ભાષામાં સંબોધન કર્યું હતું.

વધુમાં તેઓએ વિદ્યાર્થીઓના ટુ-વ્હીલર્સ પરઆઈ લવ હેલ્મેટ” “આઈ લવ માય ફેમિલીના સૂત્રો લખેલા સ્ટિકર લગાવીએક નયી સોચ” અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. સરકારે હેલ્મેટનો કાયદો બનાવ્યો છે. કારણ કેઅકસ્માત થાયતો માથાનું રક્ષણ થાય અને જીવ બચી જાય. દરેક ચાર રસ્તા પર ટ્રાફિક સિગ્નલ બનાવ્યા છેજ્યાં રેડ લાઈટ થાય તો ઉભા રહીએ. તો બીજી તરફટ્રાફિક નિયમ કાયદાનો ભંગ કરનાર વાહન ચાલકો સામે ટ્રાફિક પોલીસ કાર્યવાહી કરે છે. કારણ કેનાગરીકો સલામત અને સુરક્ષિત રહી શકે.

અત્રે ઉલ્લેખનીય છે કેનવી ભાવી પેઢી શિસ્તબદ્ધ અને સંયમી બનેકાયદાનું પાલન કરે તથા સલામતસુરક્ષિતસાવધાન અને સતર્ક બને તે માટેએક નયી સોચ” પ્રોજેક્ટ મહત્વપૂર્ણ અભિયાન છે. શાળાઓમાં ભણતા બાળકોમાં ટ્રાફિકના નિયમોની સમજ કેળવાય અને તે બાળકો તેમના માતા-પિતાને પણ હેલ્મેટ પહેરવા અને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા જણાવે તે માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અમદાવાદJCP એન.એન.ચૌધરી, DCP બલદેવસિંહજી, ACP એસ.જે.મોદી, ACPD એસ. પુનડીયાશહેર ટ્રાફિક પોલીસ અને સતર્કતા ગ્રુપના સભ્યો સહિત મોટી સંખ્યામાં શાળા પરિવાર અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.