અમદાવાદ’નો સ્થાપના દિવસ : મહાશિવરાત્રિ પર્વની ઉજવણી સાથે નગરદેવી ભદ્રકાળી માતાનો રથ નગરયાત્રાએ નીકળ્યો...

રાજ્યના સહકારમંત્રી જગદીશ પંચાલ અને અમદાવાદનાં મૈયર પ્રતિભા જૈન દ્વારા 7.45 વાગ્યે પહિંદવિઘિ કરી નગરદેવી ભદ્રકાળી માતાના રથનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું

New Update
  • તા. 26 ફેબ્રુઆરીએટલે અમદાવાદનો સ્થાપના દિવસ

  • તો બીજી તરફમહાશિવરાત્રિ મહાપર્વની પણ ઉજવણી

  • મનપામાણેક બુરજના વંશજોનગરજનો દ્વારા ઉજવણી

  • નગરદેવી ભદ્રકાળી માતાના રથની નગરયાત્રા નીકળી

  • વિવિધ ધાર્મિક કાર્યક્રમો સહિત ઉજવણી કરવામાં આવી

Advertisment W3.CSS

આજરોજ તા. 26 ફેબ્રુઆરીએટલે અમદાવાદનો સ્થાપના દિવસતો બીજી તરફમહાશિવરાત્રિનું મહાપર્વ છેત્યારે અમદાવાદ મહાનગરપાલિકામાણેક બુરજના વંશજો તેમજ નગરજનો દ્વારા વિવિધ ધાર્મિક કાર્યક્રમો થકી અમદાવાદનો સ્થાપના દિવસ અને મહાશિવરાત્રિ પર્વની ઉજવણી કરવામાં આવી હતી.

તા. 26મી ફેબ્રુઆરીવર્ષ 1411માં અહમદશાહે માણેક બુરજ પાસે ઇંટ મુકીને અમદાવાદની સ્થાપના કરી હતી. આજના દિવસે માણેક બુરજના વંશજો દ્વારા માણેકનાથ મંદિર પર ધજા ચડાવી આરતી કરવામાં આવે છે.

તો બીજી તરફઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ અમદાવાદના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. રાજ્યના સહકારમંત્રી જગદીશ પંચાલ અને અમદાવાદનાં મૈયર પ્રતિભા જૈન દ્વારા 7.45 વાગ્યે પહિંદવિઘિ કરી નગરદેવી ભદ્રકાળી માતાના રથનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.

6.25 કિ.મી. લાંબી નગરયાત્રામાં મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટ્યા હતાજ્યારે અમદાવાદ શહેર પોલીસ દ્વારા માતાજીને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. ત્યારબાદ ઢોલ-નગારાંશરણાઈધજા-ખુલ્લી જીપ અને વાહનો સાથે રથયાત્રા શહેરના રાજમાર્ગો પર નીકળી હતી. આ રથયાત્રામાં અનેક અખાડા પણ જોડાયા હતા. નગરદેવી ભદ્રકાળી માતાજીની યાત્રા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ નિજ મંદિરે પરત પહોચી હતીજ્યાં હવન અને ભંડારાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

Latest Stories
Read the Next Article

અમદાવાદ: સાણંદમાં 19 વર્ષીય યુવકની છરીના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી

પાનના ગલ્લા ઉપર જ 19 વર્ષીય યુવકનેછરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો હતો. 19 વર્ષીય ભરત બળદેવભાઈ પટેલ જેની પ્રેમ સંબંધના કારણે હત્યાનિપજાવી કાઢવામાં આવી

New Update
Sanand Murder
અમદાવાદ ગ્રામ્યના સાણંદ વિસ્તારમાં 19 વર્ષીય યુવકનીહત્યા થતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. સમગ્ર ઘટનાની જાણ સાણંદ GIDC પોલીસે તપાસ કરતાહત્યાનો આરોપી કાયદાના સંઘર્ષમાં આવેલો સગીર નિકળ્યો છે. જેણે પાનના ગલ્લા ઉપર જ 19 વર્ષીય યુવકનેછરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો હતો. 19 વર્ષીય ભરત બળદેવભાઈ પટેલ જેની પ્રેમ સંબંધના કારણે હત્યાનિપજાવી કાઢવામાં આવી છે.
Advertisment
મૃતક યુવક સાણંદ તાલુકાના જોલાપુર ગામમાં પાનનો ગલ્લોચલાવતો હતો. 21મી મેના રાત્રે મૃતક જ્યારે પાનના ગલ્લે બેઠો હતો ત્યારે સગીરયુવક ત્યા આવ્યો હતો. અને ગુટકા લેવાના બહાને મૃતક સાથે વાતચીત હાથ ઘરી હતી. મૃતકજ્યારે ગુટકા લેવા માટે બેધ્યાન થયો ત્યારે સગીરે તેની પાસે રહેલ છરીના 2-3 ઘા મૃતકની છાતીમાં ઝીંકી દીધા હતા.
આ ઘટના નજરે જોનાર વ્યક્તિઓએ તુરંત પોલીસને જાણ કરીને મૃતકનેપ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સારવાર માટે ખસેડ્યો હતો. જોકે ફરજ પર હાજર ડોક્ટરોએભરતને મૃત જાહેર કર્યો હતો. જેને લઈ સાણંદ GIDC પોલીસે ગુનો નોંધી તજવીજ હાથ ધરી હતી. અત્રે ઉલ્લેખનીયછે કે મૃતક યુવકની પ્રેમ સંબંધમાં હત્યા કરવામાં આવી છે મૃતક ભરત અને સગીરની બહેન વચ્ચે છેલ્લા 2 વર્ષથી પ્રેમસંબંધ હતો અને અગાઉ 6 મહિના પહેલા જ સગીર યુવકે તેની બહેન સાથેના પ્રેમસંબંધ બાબતેમૃતક વચ્ચે માથાકૂટ થઈ હતી. જેમાં સગીર યુવકે તેની બહેન સાથે પ્રેમ સંબંધ ન રાખવાતેમજ વાતચીત ન કરવા માટે ધમકી આપી હતી.
Advertisment
Latest Stories