અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં બે દર્દીઓના મોતથી સર્જાયો વિવાદ,જાણ વિના જ એન્જિયોગ્રાફી કરવામાં આવી હોવાના આક્ષેપ

PMJAY યોજના હેઠળ એક સાથે 19 વ્યક્તિઓને સ્ટેન્ટ મૂકવાની ક્યારેય પરવાનગી મળતી નથી. જેના પગલે હવે હોસ્પિટલ સામે પણ એક્શન લેવામાં આવશે જરૂર પડે હોસ્પિટલનું લાઇસન્સ રદ કરાશે.

New Update
Khyati Multispeciality Hospital

અમદાવાદમાં ખ્યાતિ હોસ્પિટલ બે દર્દીના મોતના મામલે વિવાદનો મધપૂડો છંછેડાયો છે.જેમાં મૃતકના સગાઓએ હોસ્પિટલની બેદરકારીથી મોત થયા હોવાનો આક્ષેપ કર્યો છે.આ ઉપરાંત હોસ્પિટલમાં જાણ વિના19 લોકોની એન્જિયોગ્રાફી કરવામાં આવી હોવાના આક્ષેપ કરવામાં આવ્યો છે.10 નવેમ્બરના રોજ કડીના બોરીસણા ગામે ખ્યાતિ હોસ્પિટલ દ્વારા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

આ કેમ્પ યોજ્યા બાદ લોકોને સારવાર માટે ખ્યાતિ હોસ્પિટલમાં લવાયા હતા. જેમાં જાણ કર્યા વિના 19 લોકોની એન્જીયોગ્રાફી કરી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે.જ્યારે સ્ટેન્ટ મૂક્યા બાદ 2 દર્દીના મોત નિપજ્યા હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો છે.

આ ઉપરાંત સૂત્રો દ્વારા જાણવા મળ્યા મુજબ બોરીસણા ગામના સરપંચનો આક્ષેપ છે કે ગામમાંથી ઘણા લોકોને વધુ તપાસ અને મફત સારવારનું કહીને અમદાવાદ લાવવામાં આવ્યા હતા. પરંતુતેમના પરિવારજનોને જાણ કર્યા વિના જ એન્જીયોગ્રાફી કરી દેવામાં આવી હતી. જ્યારે મૃતકોની સ્થિતિ ગંભીર હોવાનું હોસ્પિટલ તંત્ર દ્વારા જણાવાયું છે.

પરંતુ તેમ છતાં તેમના પરિવાર માંથી કોઈને જાણ ન કરવામાં આવી નહતી. તેમણે આક્ષેપ કર્યો છે કે હોસ્પિટલે આ બધું જ સરકારી લાભ ખાટવા માટે કર્યું હતું.જેમને કોઈપણ પ્રકારની તકલીફ ન હતી. તેમને પણ એન્જીયોગ્રાફી કરી દેવાઈ છે. તેમજ મૃતકના આયુષ્માન કાર્ડ માંથી પૈસા કપાઈ ગયેલા હોવાનું પ્રકાશમાં આવ્યું છે. જ્યારે અન્ય પાંચ દર્દીઓ હાલ ICUમાં સારવાર હેઠળ છે. આ ઘટના બાદ હોસ્પિટલમાંથી ડોક્ટરો ભૂગર્ભમાં ઉતરી ગયા છે.

ખ્યાતિ હોસ્પિટલની સામે સરકાર એક્શન મોડમાં આવી છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે સમગ્ર ઘટના અંગેની માહિતી મેળવીને તાત્કાલિક તપાસના આદેશ આપ્યા છે.PMJAY યોજના હેઠળ એક સાથે 19 વ્યક્તિઓને સ્ટેન્ટ મૂકવાની ક્યારેય પરવાનગી મળતી નથી. જેના પગલે હવે હોસ્પિટલ સામે પણ એક્શન લેવામાં આવશે. જરૂર પડે હોસ્પિટલનું લાઇસન્સ રદ કરાશે. જે ડોકટરો એ સર્જરી કરી છે તેમનું પણ લાયસન્સ રદ થઈ શકે છે.

Read the Next Article

અમદાવાદ : અલકાયદા સાથે જોડાયેલા 4 શખ્સોની ગુજરાત ATSએ ધરપકડ કરી, AQISની વિચારધારાનો કરતાં હતા પ્રચાર-પ્રસાર

ગુજરાત ATSએ અલકાયદા સાથે જોડાયેલા 4 લોકોની ધરપકડ કરી છે. આ 4 આરોપીમાં 2 વ્યક્તિ ગુજરાતના અમદાવાદ અને મોડાસાની છે, જ્યારે 2 વ્યક્તિ દિલ્હી અને નોઈડાની હોવાનું સામે આવ્યું છે.

New Update
  • ATSએ અલકાયદા સાથે જોડાયેલા શખ્સોની ધરપકડ

  • AQISની વિચારધારાનો કરતાં હતા પ્રચાર-પ્રસાર

  • જેહાદ અંગે લિટરેચર ગ્રુપમાં પણ કરતાં હતા પોસ્ટ

  • ઓપરેશન સિંદૂર સમયની કેટલીક પોસ્ટ પણ મળી

  • અમદાવાદ અને મોડાસાની 2 શખ્સોનો સમાવેશ

  • 2 શખ્સ દિલ્હી અને નોઈડાના હોવાનું સામે આવ્યું

ગુજરાતATSએ અલકાયદા સાથે જોડાયેલા 4 લોકોની ધરપકડ કરી છે. આ 4 આરોપીમાં 2 વ્યક્તિ ગુજરાતના અમદાવાદ અને મોડાસાની છેજ્યારે 2 વ્યક્તિ દિલ્હી અને નોઈડાની હોવાનું સામે આવ્યું છે.

અલકાયદાના દક્ષિણ એશિયા ક્ષેત્ર સાથે જોડાયેલાAQIS (અલકાયદા ઇન ઇન્ડિયા સબકોન્ટિનન્ટ)ની વિચારધારાનો પ્રચાર-પ્રસાર કરનાર મોહમ્મદ ફૈક મોહમ્મદ રિઝવાનમોહમ્મદ ફરદીન મોહમ્મદ રઈસસેફુલ્લા કુરેશી મહમદ રફીક અને ઝીશાન અલી આસિફ અલીની ગુજરાતATSએ ધરપકડ કરી છે. આ 4 આરોપીમાં 2 વ્યક્તિ ગુજરાતના અમદાવાદ અને મોડાસાની છેજ્યારે 2 વ્યક્તિ દિલ્હી અને નોઈડાની હોવાનુંATSની તપાસમાં સામે આવ્યું છે. તેઓ સોશિયલ મીડિયા અને કેટલીક સસ્પેક્ટ એપ્લિકેશન દ્વારા અલકાયદાની વિચારધારા સાથે જોડાઈને એને ફેલાવવા સુધીની કામગીરીમાં સક્રિય હતા. માત્ર એટલું જ નહીંતેઓ જેહાદ અંગે લિટરેચર ગ્રુપમાં પોસ્ટ કરતા હતા. ઓપરેશન સિંદૂર સમયની કેટલીક પોસ્ટ પણ મળી આવી છે.

ગુજરાતATSએ ધરપકડ કર્યા બાદ અમદાવાદ અને મોડાસાના આરોપીને કોર્ટમાં રજૂ કરાતા 14 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. આ અંગેATS DIG સુનીલ જોશીએ જણાવ્યું હતું કે, ATSના ડીવાયએસપી હર્ષ ઉપાધ્યાયને ગત તા. 10 જૂને 5 ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ અંગે માહિતી મળી હતી. જેમાં શરિયત યા શહાદતફરદીન 3મુજાહિદ્દ 1મુજાહિદ્દ 3 અને સેફુલ્લા મુજાહિદ્દ 313 આ 5 એકાઉન્ટ અંગે માહિત મળી હતી. આ 5 એકાઉન્ટ એ એક પ્રોસ્ક્રાઈબ ટેરેરિસ્ટ ઓર્ગેનાઈઝેશન છે. જે અલકાયદા ઇન ઇન્ડિયા સબકોન્ટિનન્ટની વિચારધારાનો પ્રચાર પ્રસાર કરી રહ્યા હતા. એટલું જ નહીંભારતીય યુવાઓને ધાર્મિક રીતે દેશ વિરોધી કાર્યવાહી કરવા માટે ઉશ્કેરણી કરી રહ્યા હતા.