Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : ખાડીયા પોળમાં નીકળેલી તિરંગા યાત્રાને અભૂતપૂર્વ પ્રતિસાદ, મોટી સંખ્યામાં સ્થાનિકો જોડાયા...

X

ભાજપ દ્વારા રાજ્યના દરેક જિલ્લા અને તાલુકામાં હર ઘર તિરંગા અભિયાન હેઠળ દરેક વોર્ડમાં તિરંગા યાત્રા યોજવામાં આવી રહી છે, ત્યારે અમદાવાદમાં ભાજપનો ગઢ ગણાતા ખાડીયા પોળ વિસ્તાર સહિતના તમામ વોર્ડમાં તિરંગા યાત્રા નીકળતા અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.

અમદાવાદના અલગ અલગ વોર્ડ તેમજ વિધાનસભા મત વિસ્તારમાં શહેર ભાજપ દ્વારા તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી. યુવા મોરચા અને સંલગ્ન સંસ્થાઓ દ્વારા ખાડિયા વોર્ડમાં નીકળેલી તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં કાર્યકરો અને સ્થાનિકો જોડાયા હતા. શહેર ભાજપ પ્રમુખ અમિત શાહ પણ આ યાત્રામાં સહભાગી થયા હતા. હાથમાં તિરંગા સાથે વંદે માતરમ અને જય હિન્દના નારાથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું.

આ તિરંગા યાત્રામાં ભાજપના આગેવાનો સાથે સ્થાનિક વેપારીઓ અને ઇલેક્ટ્રિક એસો.ના સભ્યો જોડાયા હતા. તિરંગા યાત્રા જે પોળમાંથી નીકળી ત્યાં લોકોને તિરંગાનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. શહેર ભાજપ દ્વારા હર ઘર તિરંગા યાત્રાને સફળ બનાવવા સુંદર પ્રયાસ કરાયો હતો. સમગ્ર તિરંગા યાત્રામાં ભાજપના પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટ સહિતના નગરસેવકો ઉપસ્થિત રહ્યા હતા. તિરંગા યાત્રાની સફળતા માટે ભાજપના પેજ પ્રમુખ અને વોર્ડ પ્રમુખને જવાબદારી સોંપવામાં આવી છે, ત્યારે શહેરમાં નીકળેલી તિરંગા યાત્રાનું અનેક સ્થળે પુષ્પવર્ષા કરી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

Next Story