અંકલેશ્વર: મકાનમાંથી કીમતી નળ સહિત પ્લમ્બરીંગના સામાનની ચોરી કરનાર તસ્કરની પોલીસે કરી ધરપકડ

રિયો પ્લાઝા-2માં 54 હજારના પ્લમ્બરીંગનો સામાનની ચોરીના મામલામાં સંડોવાયેલ આરોપીની જી.આઈ.ડી.સી.પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

New Update
અંકલેશ્વર: મકાનમાંથી કીમતી નળ સહિત પ્લમ્બરીંગના સામાનની ચોરી કરનાર તસ્કરની પોલીસે કરી ધરપકડ

અંકલેશ્વરની ઇ.એસ.આઈ હોસ્પિટલની બાજુમાં આવેલ રિયો પ્લાઝા-2માં 54 હજારના પ્લમ્બરીંગનો સામાનની ચોરીના મામલામાં સંડોવાયેલ આરોપીની જી.આઈ.ડી.સી.પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે


અંકલેશ્વરની ઇ.એસ.આઈ હોસ્પિટલની બાજુમાં આવેલ રિયો પ્લાઝા-2ના મકાન નંબર-103માં આવેલ ઓફિસને તસ્કરોએ નિશાન બનાવી હતી અને ઓફિસના બાજુમાં આવેલ મકાન નંબર-104નો દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો તસ્કરોએ મોંઘીદાટ કંપનીના નળ, કન્સિલ કોક,ફલ્સ કોક મળી કુલ 54 હજારના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા ચોરીની ઘટના બિલ્ડીંગમાં લગાવેલ સીસીટીવી કેમેરા થઈ છે જે ફૂટેજના આધારે પોલીસે શોધખોળ હાથ ધરી હતી તે દરમિયાન ચોરીની ઘટનાને અંજામ આપનાર નવા કાસિયા ગામનો ઉમેશ દયાળ બગરીયાને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી ચોરી થયેલ સામાન રિકવરી કરી તપાસ હાથ ધરી છે.

Read the Next Article

ગુજરાતી ફિલ્મ નિર્માતા મહેશ જીરાવાલાનું પ્લેન ક્રેશમાં મોતની પુષ્ટિ, પરિવારે મૃતદેહ સ્વીકાર્યો

વિમાન દુર્ઘટના બાદ ગુમ થયેલા ગુજરાતી ફિલ્મમેકર મહેશ જીરાવાલાના DNA મેચ થવા છતાં પરિવાર માનવા તૈયાર નહોતો કે, તે મૃતદેહ મહેશનો છે. જ્યારે હવે ફિલ્મમેકરના મૃત્યુની પુષ્ટિ થઈ છે

New Update
Mahesh Jirawala

અમદાવાદથી લંડન જઈ રહેલા એર ઇન્ડિયાનું વિમાન 12 જૂને દુર્ઘટનાગ્રસ્ત થઈ બી.જે મેડિકલ હોસ્ટેલમાં ક્રેશ થયું હતું. જે દુર્ઘટનામાં 280થી વધુ લોકોના મૃત્યુ થયા છે. આ દુર્ઘટનામાં મૃતકોની ઓળખ માટે ડીએનએ મેચ કરવાની કાર્યવાહી ચાલી રહી છે. વિમાન દુર્ઘટના બાદ ગુમ થયેલા ગુજરાતી ફિલ્મમેકર મહેશ જીરાવાલાના DNA મેચ થવા છતાં પરિવાર માનવા તૈયાર નહોતો કેતે મૃતદેહ મહેશનો છે. જ્યારે હવે ફિલ્મમેકરના મૃત્યુની પુષ્ટિ થઈ છેત્યારે પરિવારને તેમનો મૃતદેહ સોંપવામાં આવ્યો છે.

અમદાવાદ વિમાન દુર્ઘટના બાદ ફિલ્મમેકર મહેશ જીરાવાલા ગુમ હોવાનું સામે આવ્યું હતું. જ્યારે મહેશ જીરાવાલાના DNA મેચ થવા છતાં તેમનું મૃત્યુ નીપજ્યું હોવાને લઈને પરિવાર માનવા તૈયાર નહોતો.

સમગ્ર મામલે પોલીસે સળગેલા એક્ટિવાના એન્જિન-ચેસીસ નંબર, સીસીટીવી સહિતના પુરાવા એકઠા કરીને મૃતકના પરિવારને માહિતી આપી હતી.આમ હવે જીરાવાલાના મોતની પુષ્ટિ થઈ છે, ત્યારે પરિવારે મહેશ જીરાવાલાનો મૃતદેહ સ્વીકાર્યો છે.

અમદાવાદના નરોડ વિસ્તારમાં રહેતા 34 વર્ષીય ગુજરાતી ફિલ્મ ડાયરેક્ટર મહેશ ગીરધરભાઈ કાલાવાડિયા ઉર્ફે જીરાવાલ ઘરથી નીકળ્યા હતા અને શાહીબાગ સિવિલ હોસ્પિટલની નજીકમાં ગુમ થયા હતા. આ મામલે કાર્તિકએ પોતાનો ભાઈ ગુમ થયાની નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ટેકનિકલ સોર્સ સહિતની પોલીસ તપાસમાં મહેશ વિમાન દુર્ઘટનામાં ભોગ બન્યો હોવાનું જાણવા મળ્યું હતું. પરંતુ પરિવાર આ વાતને માનવા તૈયાર ન હતો. જ્યારે દુર્ઘટનાગ્રસ્ત સ્થળેથી લેવામાં આવલા મૃતદેહ સાથે મહેશના પરિવારજનો DNA મેચ થતાં અને પોલીસે જરૂરી પુરાવા રજૂ કરતા અંતે મહેશનું મોત નીપજ્યું હોવાની પુષ્ટિ થઈ છે.