અમદાવાદમાં બાબા બાગેશ્વર તા.29 અને 30મેના રોજ દિવ્ય દરબાર ભરશે,એ પૂર્વે અંબાજી દર્શન કરવા પહોંચશે

અમદવાદમાં આગામી 29 અને 30 મેના રોજ ઘાટલોડિયા વિસ્તારમાં બાબા બાગેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર યોજાશે.

New Update
અમદાવાદમાં બાબા બાગેશ્વર તા.29 અને 30મેના રોજ દિવ્ય દરબાર ભરશે,એ પૂર્વે અંબાજી દર્શન કરવા પહોંચશે

અમદવાદમાં આગામી 29 અને 30 મેના રોજ ઘાટલોડિયા વિસ્તારમાં બાબા બાગેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર યોજાશે. તે પહેલાં બાબા બાગેશ્વર અંબાજી માતાના દર્શન કરવા અંબાજી જશે

છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાત સહિત દેશભરમાં બાબા બાગેશ્વર ચર્ચામાં છે. માત્ર ઈલેક્ટ્રોનિક મીડિયા જ નહીં સોશિયલ મીડિયા પર પણ બાબા છવાયેલા છે અને હાલમાં બાબા ગુજરાતના અલગ-અલગ શહેરમાં દરબાર લગાવી રહ્યા છે.26 અને 27 મે બે દિવસ બાબા બાગેશ્વર સુરતમાં છે. 28 મેના રોજ બાબા બાગેશ્વર સુરતથી અમદાવાદ બાય એર પહોંચશે.અહીંથી તેઓ 10:30 કલાકે અમદાવાદ આવી હેલિકોપ્ટરથી દાંતા જવા રવાના થશે.બાબાના કાર્યક્રમ અંગે ઇસ્કોન ગ્રુપના ચેરમેન પ્રવિણ કોટક આ અંગે જણાવ્યુ હતું કે, બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી રવિવારે અંબાજી માતાના દર્શન કરશે. મહત્વનું છે કે, અમદાવાદમાં બાબા બાગેશ્વર 29 અને 30 દિવ્ય દરબાર લગાવશે. ત્યાર બાદ ગાંધીનગર, રાજકોટ અને વડોદરામાં પણ બાબાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.