ભરૂચ : બોટાદ લઠ્ઠાકાંડ બાદ મિથેનોલનો ઉપયોગ કરતી કંપનીઓમાં પોલીસ દ્વારા સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરાયું...

સમગ્ર રાજ્યમાં બોટાદ લઠ્ઠાકાંડની ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. આ મામલે કેટલાક પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા છે.

New Update
ભરૂચ : બોટાદ લઠ્ઠાકાંડ બાદ મિથેનોલનો ઉપયોગ કરતી કંપનીઓમાં પોલીસ દ્વારા સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરાયું...

બોટાદ લઠ્ઠાકાંડની ઘટના બાદ ભરૂચ જિલ્લામાં મિથનોલ બનાવતી અને ઉપયોગ કરતી કંપનીઓમાં જિલ્લા પોલીસ વડા ડો. લીના પાટીલના માર્ગદર્શન હેઠળ પોલીસ દ્વારા અલગ અલગ ટીમો દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.

સમગ્ર રાજ્યમાં બોટાદ લઠ્ઠાકાંડની ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. આ મામલે કેટલાક પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા છે. તો બીજી તરફ દેશી દારૂ બનાવવા માટે મિથેનોલનો ઉપયોગ થયો હોવાનું સામે આવ્યું છે. જેના કારણે ઠેર ઠેર દેશી દારૂના વેપલા પર પોલીસ દ્વારા તવાઈ બોલાવાય રહી છે, ત્યારે ભરૂચ જીલ્લામાં મિથનોલ બનાવતી અને ઉપયોગ કરતી કંપનીઓમાં પણ પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. ભરૂચ જિલ્લા પોલીસ વડા ડો. લીના પાટીલના માર્ગદર્શન હેઠળ ભરૂચ, દહેજ, વિલાયત, ઝઘડીયા અને અંકલેશ્વરની 350થી વધુ કંપનીઓમાં પોલીસની અલગ અલગ ટીમો દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની 3 ટીમોએ સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધર્યું હતું. જેમાં ઉદ્યોગોને મિથેનોલનું સ્ટોક પત્રક જાળવવા સૂચના અપાઈ હતી. સાથે જ કાગળ ઉપર અને હાજર સ્ટોકમાં તફાવત જણાશે તો પોલીસ દ્વારા જે તે કંપની વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત કંપનીઓ દ્વારા થતી મિથેનોલની હેરફેર પણ ઉચ્ચ અધિકારીની દેખરેખ હેઠળ કરવા સૂચના આપવામાં આવી છે.

Read the Next Article

ગુજરાતી ફિલ્મ નિર્માતા મહેશ જીરાવાલાનું પ્લેન ક્રેશમાં મોતની પુષ્ટિ, પરિવારે મૃતદેહ સ્વીકાર્યો

વિમાન દુર્ઘટના બાદ ગુમ થયેલા ગુજરાતી ફિલ્મમેકર મહેશ જીરાવાલાના DNA મેચ થવા છતાં પરિવાર માનવા તૈયાર નહોતો કે, તે મૃતદેહ મહેશનો છે. જ્યારે હવે ફિલ્મમેકરના મૃત્યુની પુષ્ટિ થઈ છે

New Update
Mahesh Jirawala

અમદાવાદથી લંડન જઈ રહેલા એર ઇન્ડિયાનું વિમાન 12 જૂને દુર્ઘટનાગ્રસ્ત થઈ બી.જે મેડિકલ હોસ્ટેલમાં ક્રેશ થયું હતું. જે દુર્ઘટનામાં 280થી વધુ લોકોના મૃત્યુ થયા છે. આ દુર્ઘટનામાં મૃતકોની ઓળખ માટે ડીએનએ મેચ કરવાની કાર્યવાહી ચાલી રહી છે. વિમાન દુર્ઘટના બાદ ગુમ થયેલા ગુજરાતી ફિલ્મમેકર મહેશ જીરાવાલાના DNA મેચ થવા છતાં પરિવાર માનવા તૈયાર નહોતો કેતે મૃતદેહ મહેશનો છે. જ્યારે હવે ફિલ્મમેકરના મૃત્યુની પુષ્ટિ થઈ છેત્યારે પરિવારને તેમનો મૃતદેહ સોંપવામાં આવ્યો છે.

અમદાવાદ વિમાન દુર્ઘટના બાદ ફિલ્મમેકર મહેશ જીરાવાલા ગુમ હોવાનું સામે આવ્યું હતું. જ્યારે મહેશ જીરાવાલાના DNA મેચ થવા છતાં તેમનું મૃત્યુ નીપજ્યું હોવાને લઈને પરિવાર માનવા તૈયાર નહોતો.

સમગ્ર મામલે પોલીસે સળગેલા એક્ટિવાના એન્જિન-ચેસીસ નંબર, સીસીટીવી સહિતના પુરાવા એકઠા કરીને મૃતકના પરિવારને માહિતી આપી હતી.આમ હવે જીરાવાલાના મોતની પુષ્ટિ થઈ છે, ત્યારે પરિવારે મહેશ જીરાવાલાનો મૃતદેહ સ્વીકાર્યો છે.

અમદાવાદના નરોડ વિસ્તારમાં રહેતા 34 વર્ષીય ગુજરાતી ફિલ્મ ડાયરેક્ટર મહેશ ગીરધરભાઈ કાલાવાડિયા ઉર્ફે જીરાવાલ ઘરથી નીકળ્યા હતા અને શાહીબાગ સિવિલ હોસ્પિટલની નજીકમાં ગુમ થયા હતા. આ મામલે કાર્તિકએ પોતાનો ભાઈ ગુમ થયાની નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ટેકનિકલ સોર્સ સહિતની પોલીસ તપાસમાં મહેશ વિમાન દુર્ઘટનામાં ભોગ બન્યો હોવાનું જાણવા મળ્યું હતું. પરંતુ પરિવાર આ વાતને માનવા તૈયાર ન હતો. જ્યારે દુર્ઘટનાગ્રસ્ત સ્થળેથી લેવામાં આવલા મૃતદેહ સાથે મહેશના પરિવારજનો DNA મેચ થતાં અને પોલીસે જરૂરી પુરાવા રજૂ કરતા અંતે મહેશનું મોત નીપજ્યું હોવાની પુષ્ટિ થઈ છે.

Latest Stories