-
ફાઇનાન્સિયલ પ્લાનિંગ પર યોજાયો વર્કશોપ
-
IIM અમદાવાદ અને FPSB ઇન્ડિયા દ્વારા કરાયું આયોજન
-
નાણાકીય આયોજન પર નિષ્ણાતોએ આપ્યું વક્તવ્ય
-
300થી વધુ લોકોએ કાર્યક્રમમાં લીધો ભાગ
-
ક્રિષ્ન મિશ્રા,CEO,FPSB સાથે કનેક્ટ ગુજરાતની વિશેષ મુલાકાત
ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અમદાવાદ (IIMA), FPSB ઇન્ડિયાના સહયોગથી, નાણાકીય આયોજન વ્યાવસાયિકો અને આશાસ્પદ લોકો માટે એસેટ પ્રાઇસિંગ અને ફેક્ટર ઇન્વેસ્ટિંગ પર એક દિવસીય વર્કશોપનું સફળતા પૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું.આ ઇવેન્ટમાં 300 થી વધુ સહભાગીઓ ઉપસ્થિત રહ્યા હતા.
અમદાવાદમાં વ્યાવસાયિકો અને આશાવાદીઓ માટે "એસેટ પ્રાઇસિંગ અને ફેક્ટર ઇન્વેસ્ટિંગ" પર એક દિવસીય વર્કશોપનું સફળતા પૂર્વક આયોજન કર્યું હતું.આ ઇવેન્ટમાં 300 થી વધુ સહભાગીઓ ઉપસ્થિત રહ્યા હતા,અને નાણાકીય ક્ષેત્રના અગ્રણી વક્તાઓની આકર્ષક ચર્ચાઓમાં ભાગ લીધો હતો.વધુમાં આ વર્કશોપમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અમદાવાદ (IIMA), FPSB ઇન્ડિયાના સહયોગથી, નાણાકીય આયોજન પર માહિતી આપવામાં આવી હતી.
આ પ્રસંગે IIM અમદાવાદના ડાયરેક્ટર ભરત ભાસ્કરે, જણાવ્યું હતું કે,IIM માં અમે શીખવાની અને નવીનતાની સંસ્કૃતિને પ્રોત્સાહન આપવાનો પ્રયત્ન કરીએ છીએ.આ વર્કશોપ પ્રોફેશનલ્સને અદ્યતન જ્ઞાન અને કૌશલ્યોથી સજ્જ કરવાની અમારી પ્રતિબદ્ધતાનો પુરાવો છે.જે તેમને ગતિશીલ નાણાકીય ઇકોસિસ્ટમ માટે તૈયાર કરે છે. આ સહયોગ દ્વારા, અમારું લક્ષ્ય વધુને વધુ લોકો સુધી જ્ઞાન સુધી પહોંચવા અને તેનો પ્રસાર કરવાનો છે.
જ્યારે ફાઇનાન્સિયલ પ્લાનિંગ સ્ટાન્ડર્ડ બોર્ડ (FPSB) ઈન્ડિયાના CEO ક્રિષ્ન મિશ્રાએ ઈવેન્ટ માટે તેમનો ઉત્સાહ વ્યક્ત કરતા કહ્યું હતું કે આ સીમાચિહ્ન વર્કશોપ માટે IIMAએ સાથે ભાગીદારી કરવી એ અમારો વિશેષાધિકાર છે.
અમે ભારતમાં નાણાકીય આયોજન સમુદાયને વિશ્વસ્તરીય શિક્ષણ અને વિચારશીલ નેતાઓ સાથે જોડાવાની તકો સાથે સશક્ત બનાવવા માટે સમર્પિત છીએ, જેથી તેઓ ઉદ્યોગમાં મોખરે રહે તેની ખાતરી કરી શકાય.આ ઇવેન્ટમાં વિદ્યાર્થીઓ,વ્યવસાયિકો સહિત મોટી સંખ્યામાં સહભાગી ઓ ઉપસ્થિત રહ્યા હતા.