PM નરેન્દ્ર મોદી આવતીકાલે અમદાવાદના બનશે મહેમાન, જુઓ કયા કયા રૂટ રહેશે બંધ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે છે ત્યારે 31 ઓક્ટોબરે વડાપ્રધાનનો અમદાવાદમાં પણ કાર્યક્રમ છે.

PM નરેન્દ્ર મોદી આવતીકાલે અમદાવાદના બનશે મહેમાન, જુઓ કયા કયા રૂટ રહેશે બંધ
New Update

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે છે ત્યારે 31 ઓક્ટોબરે વડાપ્રધાનનો અમદાવાદમાં પણ કાર્યક્રમ છે.અસારવા ખાતેથી રેલવેના પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે તે બાદ જાહેર સભા પણ સંબોધશે.

વડાપ્રધાનના કાર્યક્રમને લઈને પોલીસ દ્વારા કાર્યક્રમની આસપાસના રૂટ ડાયવર્ટ કરવામાં આવશે. વાહન ચાલકો માટે વૈકલ્પિક રસ્તાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.જેમાં અસારવા રેલવે સ્ટેશન અને અજીત મીલ પાસે કાર્યક્રમ હોવાથી મેમકો ચાર રસ્તાથી નરોડા ફાયર સ્ટેશન અને ચામુંડા બ્રિજ સુધીનો રસ્તો વાહનોની અવરજવર માટે ચાર વાગ્યાથી બંધ રહેશે વાહન ચાલકો અવરજવર કરી શકે તે માટે મેમકોથી હીરાવાડી થઈ નિર્મલ પુરા ચાર રસ્તા તરફ લોકો અવરજવર કરી શકશે. આ ઉપરાંત રોડ પર કોઈપણ વાહન ચાલક પાર્કિંગના કરે તે માટે ક્રેન રાખવામાં આવી છે અને મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ તૈનાત રહેશે.

#Gujarat #ConnectGujarat #BeyondJustNews #police #Ahmedabad #PM Narendra Modi #program #routes Closed
Here are a few more articles:
Read the Next Article