સિરિયલ કિલર ભુવાનું પોલીસ રિમાન્ડ દરમિયાન રહસ્યમય સંજોગોમાં મોત

સરખેજ પોલીસ દ્વારા તારીખ 03-12-2024ના રોજ આરોપી ભુવાની ધરપકડ કરવામાં આવી હતી, જે આરોપીને તારીખ 10-12-2024 સુધી રિમાન્ડ પર રાખવાનો હતો. 12 લોકોની હત્યા કર્યાનો મરતા પહેલા ભુવાએ સ્વીકાર કર્યો છે. 

New Update
Navalsinh Chavda

અમદાવાદ સરખેજ પોલીસે 13 વર્ષમાં 12 હત્યાના આરોપી સીરિયલ કિલર ભુવા નવલસિંહ ચાવડાની ધરપકડ કરી હતી.પોલીસ રિમાન્ડ દરમિયાન રહસ્યમય સંજોગોમાં ભુવાનું મોત થયું હતું.રવિવારે 8 ડિસેમ્બરે કસ્ટડીમાં ભુવાની તબિયત લથડી હતીત્યારબાદ તેનું સારવાર દરમિયાન મોત થયું હતું.જોકે પાખંડી ભુવાના સમગ્ર કાંડનો પર્દાફાશ થયો છે.તંત્ર-મંત્રના નામે પરિવારના ત્રણ સભ્યો સહિત 12 લોકોની હત્યા કર્યાનો મરતા પહેલા ભુવાએ સ્વીકાર કર્યો છે. 

અમદાવાદના સરખેજ પોલીસ દ્વારા ધરપકડ કરાયેલ તાંત્રિક નવલસિંહ ચાવડાએ તેની માતાદાદી અને કાકા સહિત 12 લોકોની હત્યા કર્યાની કબૂલાત કરી હતી. પીડિતોને સોડિયમ નાઇટ્રાઇટ સાથે ઝેર આપવામાં આવ્યું હતુંજે સામાન્ય રીતે પેઇન્ટિંગ અને ફિનિશિંગ કામમાં વપરાતુ રસાયણ હતું. ચાવડા કથિત રીતે આ પદાર્થને પાણી અથવા દારૂમાં ભેળવી દેતા હતાજેનાથી મિનિટોમાં જીવલેણ હાર્ટ એટેક આવતા હતા. 

સરખેજ પોલીસ દ્વારા તારીખ 03-12-2024ના રોજ આરોપી ભુવાની ધરપકડ કરવામાં આવી હતીજે આરોપીને તારીખ 10-12-2024 સુધી રિમાન્ડ પર રાખવાનો હતો. રિમાન્ડ દરમિયાનની તપાસ મુજબ આરોપી નવલસિંહ ચાવડા જે ભુવો હતો અને તાંત્રિક વિધિના બહાને આર્થિક ફાયદા માટે કુલ 12 જેટલા મર્ડર સોડિયમ નાઈટ્રાઈટનો ઉપયોગ કરી કર્યા હોવાનો ખુલાસો થયો છે. જેમાં 1 મર્ડર અસલાલીમાં, 3 સુરેન્દ્રનગરમાં, 3 રાજકોટના પડધરીમાં, 1 અંજારમાં, 1 વાંકાનેરમાં અને 3 પોતાના પરિવાર માંથી મર્ડર કર્યા હોવાની કબૂલાત કરી હતી. 

જોકે પોલીસ રિમાન્ડ દરમિયાન ભુવાની તબિયત અચાનક લથડી હતી,અને તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું,જોકે પોલીસ તપાસ દરમિયાન ચોંકાવનારી હકીકત બહાર આવી હતી.

Latest Stories