સિરિયલ કિલર ભુવાનું પોલીસ રિમાન્ડ દરમિયાન રહસ્યમય સંજોગોમાં મોત

સરખેજ પોલીસ દ્વારા તારીખ 03-12-2024ના રોજ આરોપી ભુવાની ધરપકડ કરવામાં આવી હતી, જે આરોપીને તારીખ 10-12-2024 સુધી રિમાન્ડ પર રાખવાનો હતો. 12 લોકોની હત્યા કર્યાનો મરતા પહેલા ભુવાએ સ્વીકાર કર્યો છે. 

New Update
Navalsinh Chavda

અમદાવાદ સરખેજ પોલીસે13વર્ષમાં12હત્યાના આરોપી સીરિયલ કિલર ભુવા નવલસિંહ ચાવડાની ધરપકડ કરી હતી.પોલીસ રિમાન્ડ દરમિયાન રહસ્યમય સંજોગોમાં ભુવાનું મોત થયું હતું.રવિવારે8ડિસેમ્બરે કસ્ટડીમાં ભુવાની તબિયત લથડી હતીત્યારબાદ તેનું સારવાર દરમિયાન મોત થયું હતું.જોકે પાખંડી ભુવાના સમગ્ર કાંડનો પર્દાફાશ થયો છે.તંત્ર-મંત્રના નામે પરિવારના ત્રણ સભ્યો સહિત12લોકોની હત્યા કર્યાનો મરતા પહેલા ભુવાએ સ્વીકાર કર્યો છે.

અમદાવાદના સરખેજ પોલીસ દ્વારા ધરપકડ કરાયેલ તાંત્રિક નવલસિંહ ચાવડાએ તેની માતાદાદી અને કાકા સહિત12લોકોની હત્યા કર્યાની કબૂલાત કરી હતી. પીડિતોને સોડિયમ નાઇટ્રાઇટ સાથે ઝેર આપવામાં આવ્યું હતુંજે સામાન્ય રીતે પેઇન્ટિંગ અને ફિનિશિંગ કામમાં વપરાતુ રસાયણ હતું. ચાવડા કથિત રીતે આ પદાર્થને પાણી અથવા દારૂમાં ભેળવી દેતા હતાજેનાથી મિનિટોમાં જીવલેણ હાર્ટ એટેક આવતા હતા.

સરખેજ પોલીસ દ્વારા તારીખ03-12-2024ના રોજ આરોપી ભુવાની ધરપકડ કરવામાં આવી હતીજે આરોપીને તારીખ10-12-2024સુધી રિમાન્ડ પર રાખવાનો હતો. રિમાન્ડ દરમિયાનની તપાસ મુજબ આરોપી નવલસિંહ ચાવડા જે ભુવો હતો અને તાંત્રિક વિધિના બહાને આર્થિક ફાયદા માટે કુલ12જેટલા મર્ડર સોડિયમ નાઈટ્રાઈટનો ઉપયોગ કરી કર્યા હોવાનો ખુલાસો થયો છે. જેમાં1મર્ડર અસલાલીમાં, 3સુરેન્દ્રનગરમાં, 3રાજકોટના પડધરીમાં, 1અંજારમાં, 1વાંકાનેરમાં અને3પોતાના પરિવાર માંથી મર્ડર કર્યા હોવાની કબૂલાત કરી હતી.

જોકે પોલીસ રિમાન્ડ દરમિયાન ભુવાની તબિયત અચાનક લથડી હતી,અને તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું,જોકે પોલીસ તપાસ દરમિયાન ચોંકાવનારી હકીકત બહાર આવી હતી.

Read the Next Article

ફરી ઘટી ગયો સોનાનો ભાવ ! સોનું-ચાંદી ખરીદવાનો મોકો, જાણો લેટેસ્ટ ભાવ

5 જુલાઈને શનિવારના આજે સોનાના ભાવમાં ધડામથી ફરી પાછા નીચે ઉતર્યા છે. એટલે કે આજે 600 રુપિયાથી વધારેનો સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે.

New Update
golddd

5 જુલાઈને શનિવારના આજે સોનાના ભાવમાં ધડામથી ફરી પાછા નીચે ઉતર્યા છે. એટલે કે આજે 600 રુપિયાથી વધારેનો સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે.

લગ્નની સિઝન ચાલી રહી છે. આવી સ્થિતિમાં, જો તમે સોનું-ચાંદી ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આજે તમારા માટે આ મહત્વપૂર્ણ સમાચાર છે. સોના-ચાંદીના ભાવમાં થોડા સમયથી વધારો તો ક્યારેક ઘટાડો જોવા મળી રહ્યો છે, ત્યારે ગઈકાલે પણ સોનાના ભાવમાં ફરી વધારો જોવા મળ્યો હતો, જોકે આજે સોનાના ભાવ ઘટી ગયા છે, ત્યારે ચાલો જાણીએ તમારા શહેરમાં આજે સોનાનો ભાવ કેટલો ઘટ્યો છે.

5 જુલાઈને શનિવારના આજે સોનાના ભાવમાં ધડામથી ફરી પાછા નીચે ઉતર્યા છે. એટલે કે આજે 600 રુપિયાથી વધારેનો સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે.

આજે રાજધાની દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ 98,870 રુપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગયો છે. તેમજ આજે 22 કેરેટનો ભાવ 90,640 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર છે.

હાલમાં, મુંબઈ, ચેન્નાઈ અને કોલકાતામાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 90,490 રૂપિયા છે, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 98,720 રૂપિયા છે.

અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા જેવા મોટો શહેરોમાં આજે 22 કેરેટ સોનાનો છૂટક ભાવ પ્રતિ 10 ગ્રામ 90,540 રૂપિયા પર પહોચ્યોં છે. જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 98,770 રૂપિયા છે.

આજે સોનાની સાથે ચાંદીના ભાવમાં પણ મોટો ઘટાડો નોંધાયો છે. આજે 5 જુલાઈ શનિવારના રોજ ચાંદીનો ભાવ 1,09,900 રુપિયા પ્રતિ કિલો પર ટ્રેડ થઈ રહી છે. જ્યારે ગઈ કાલે ચાંદીનો ભાવ 1,11,100 રુપિયાની આસપાસ ટ્રેડ થઈ રહ્યો હતો.

ભારતમાં સોનાનો ભાવ ઘણી બાબતો પર આધાર રાખે છે, જેમ કે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો ભાવ, રૂપિયા અને ડોલરના ભાવમાં તફાવત અને સરકાર દ્વારા લાદવામાં આવતો કર. પરંતુ ભારતમાં, સોનું ફક્ત પૈસાનો વિષય નથી, તે આપણી સંસ્કૃતિ અને પરંપરાનો પણ એક ભાગ છે.

ખાસ કરીને લગ્ન, દિવાળી અને ધનતેરસ જેવા તહેવારો પર, લોકો સોનું ખરીદવાનું શુભ માને છે. આવા પ્રસંગોએ, સોનાની માંગ વધે છે, જેના કારણે તેની કિંમત પણ વધે છે.

 Business | Today Gold Rate | Gold and silver Price Rise