અંકલેશ્વર : કોવિડ-19 હોસ્પિટલમાંથી વધુ 5 દર્દીઓને રજા અપાઈ, હવે માત્ર એક જ દર્દી સારવાર હેઠળ

Update: 2020-05-29 12:34 GMT

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરની કોવિડ-19 હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા કોરોનાગ્રસ્ત દર્દીઓ કોરોનામુક્ત થતાં 5 જેટલા દર્દીઓને આજરોજ રજા આપવામાં આવી હતી, ત્યારે હવે માત્ર એક જ દર્દી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

ભરૂચ જીલ્લાના અંકલેશ્વરમાં આવેલી કોવિડ-19 હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓ એક બાદ એક સાજા થતાં આજરોજ 5 જેટલા દર્દીઓને તાળીઓના ગડગડાટ સાથે વિદાય આપવામાં આવી હતી. કોરોના સામેનો જંગ જીતી હોસ્પિટલમાંથી સ્વસ્થ થતા તેઓની તંદુરસ્તી અર્થે હોસ્પિટલના સ્ટાફે પણ તમામ દર્દીઓને શુભેચ્છા પાઠવી હતી, ત્યારે હવે માત્ર એક જ દર્દી કોવિડ-19 હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

કોરોનાના વધુ દર્દીઓ સામે ન આવે તે આપના સહુની સામૂહિક જવાબદારી છે. જરૂર વિના ઘરની બહાર ન નીકળી કોરોના વાયરસનું સંક્રમણ અટકાવીએ તે આપના સહુની ફરજ બની ચૂકી છે, ત્યારે ભરૂચ જિલ્લાવાસીઓના ચહેરા ઉપર સદાય સ્મિત જળવાઈ રહે તે માટે કનેક્ટ ગુજરાત પરિવાર આપ સહુને ઘરમાં રહી સુરક્ષિત રહેવા અપીલ કરે છે.

Similar News