ભરૂચ: 6 વર્ષીય બાળકી રમતા રમતા ખુલ્લા બોરવેલમાં પડી પછી શું થયું જુઓ

Update: 2021-02-01 07:08 GMT

ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ રંગ હાઈટ્સ સોસાયટીના બોરવેલમાંથી એક બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો. બાળકી રમતા રમતા ખુલ્લા બોરવેલમાં પડ્યા બાદ તેનું મોત નીપજયું હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

ભરૂચના ઝાડેશ્વર રોડ પર આવેલી નારાયણ વિદ્યાવિહાર સ્કૂલ નજીક આવેલ રંગ હાઇટ્સ ફ્લેટમાં રહેતી 6 વર્ષીય બાળકી અનુક્ષી ગતરોજ બપોરના સમયે ગુમ થઈ હતી પરિણામે તેના પરિવારજનોએ અને સોસાયટીના સભ્યોએ શોધખોળ શરૂ કરી હતી જો કે બાળકીનો કોઈ પત્તો લાગ્યો ન હતો. આ દરમ્યાન રાત્રિના સમયે બાળકી સોસાયટીના ખુલ્લા બોરવેલમાઠી મળી આવી હતી. સ્થાનિકોએ બાળકીને બહાર કાઢી સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખસેડી હતી જો કે હાજર તબીબોએ તેને મૃત જાહેર કરી હતી જેના પગલે બાળકીના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. સિવિલ પરિષરમાં પરિવારજનોના આક્રંદથી ગમગીની ફેલાઈ હતી. બાળકી ગતરોજ બપોરના સમયે રમતા રમતા બોરવેલમાં પડી ગયા બાદ તેનું મોત નીપજયું હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે .બનાવની વધુ તપાસ સી ડિવિઝન પોલીસ ચલાવી રહી છે.

Tags:    

Similar News