અમદાવાદ: બાપુનગરના શ્યામ શિખર ટાવરમાં ભીષણ આગ, સોના-ચાંદી અને મોબાઈલ સહિતની દુકાનો સળગી

Update: 2020-12-06 03:02 GMT

અમદાવાદ શહેરના બાપુનગર વિસ્તારમાં આવેલા શ્યામ શિખર ટાવરમાં આજે વહેલી સવારે ભીષણ આગ લાગી હતી. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને ગણતરીની મિનિટોમાં જ આગને કાબુમાં લઈ લીધી છે. આ ટાવરમાં મોબાઇલ અને એસેસરીઝનું બઝર આવેલું છે જ્યારે ઉપરની તરફ રહેણાંક મકાનો છે. ભીષણ આગના કારણે આસપાસના લોકોમાં દોડધામ મચી હતી. વહેલી સવારના કારણે દુકાનો બંધ હોવાથી કોઇની જાનહાનીના સમાચાર સામે આવ્યા નથી.

Tags:    

Similar News