અમદાવાદ: નારોલમાં લકઝરી બસ અને ટ્રક વચ્ચે સર્જાયો અકસ્માત

Update: 2020-12-16 03:22 GMT

શિયાળાના ધૂમ્મસની સાથે અમદાવાદમાં અકસ્માતની ઘટના બની છે. શહેરના નારોલમાં આજે સવારે લકઝરી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 7 લોકો ઇજાગ્રસ્ત થયા છે.

ખાનગી કંપનીની સ્ટાફ બસ અને ટ્રક વચ્ચે અકસ્માતમાં છ થી સાત કર્મચારીઓ ઇજાગ્રસ્ત થયા હતા. અકસ્માતના પગલે બસમાં રહેલા કર્મચારીઓના જીવ પડીકે બંધાઇ ગયા હતા. ઘાયલ લોકોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત કઇ રીતે સર્જાયો તેની તપાસ શરૂ કરવામાં આવી છે.

Tags:    

Similar News