અમદાવાદ : આરીફ પત્ની આયશાના સાચા પ્રેમને ન સમજી શકયો, જુઓ આરિફને આઈશાનો અંતિમ પત્ર, "આઈ લવ યૂ કુકું"

Update: 2021-03-06 15:50 GMT

આપ સૌને આયશા તો યાદ હશેને.. હા એ જ આયશા કે જેણે પતિ અને સાસરિયાઓના ત્રાસથી સાબરમતી નદીમાં ઝંપલાવી મોતને વ્હાલું કરી દીધું હતું. આ કેસમાં પતિ આરીફ હાલ જેલના સળિયા પાછળ છે પણ હવે રોજ રોજ નવા ખુલાસા થઇ રહયાં છે. આયશાના વકીલે હવે એક પત્ર જાહેર કર્યો છે અને આ પત્ર આયશાએ તેના પતિ આરીફને લખ્યો હતો. પત્રના એક એક શબ્દમાં આયશાનો આરીફ પ્રત્યેનો પ્રેમ છલકાઇ રહયો છે. પત્રની શરૂઆત જ માય લવ આરુ (આરિફ)થી કરવામાં આવી છે. પત્રમાં આઈશાએ લખ્યું છે કે ઘણી વાતો છે જે મેં નથી કરી, મને બહુ ખોટું લાગ્યું કે તે તારી કરતૂતો છુપાવવા મારું નામ આસીફ સાથે જોડી દીધું પણ તે મારો બેસ્ટ ફ્રેન્ડ અને બેસ્ટ ભાઈ જ છે. 4 દિવસ રૂમમાં બંધ હતી ત્યારે ખાવા માટે પણ કોઈ પૂછવા ન હતું આવ્યું.

હું પ્રેગનેન્ટ હતી ત્યારે પણ તું નહોતો આવતો અને આવતો ત્યારે ખુબ મારતો હતો જેના કારણે લિટલ આરૂ(આરિફ)ને વાગ્યું જેથી હું તેના પાસે જાવ છું. અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદની આયશાના નિકાહ રાજસ્થાનના આરીફ સાથે થયાં હતાં પણ દહેજ અને ગૃહકંકાસના કારણે આયશા પિયરમાં રહેતી હતી. તેણે સાબરમતી નદીમાં ઝંપલાવતાં પહેલાં તેના પતિ આરીફની ઇચ્છા મુજબ એક વિડીયો બનાવ્યો હતો. આ વિડીયો વાયરલ થયાં બાદ સૌ કોઇના મનમાં આયશા પ્રતિ સંવેદના જાગી હતી અને અનેક લોકોની પાંપણો ભીની થઇ ગઇ હતી. આયશાના અંતિમ વિડીયો બાદ હવે અંતિમ ચિઠ્ઠી પણ લોકોની સામે આવી છે. ચિઠ્ઠી પરથી એક બાબત ચોકકસ છે કે, આયશા આરીફને ખુબ પ્રેમ કરતી હતી પણ આરીફ તેના પ્રેમને સમજી શકયો ન હતો અને આયશા સાથે જાનવરો જેવું વર્તન કરતો હતો. હાલ તો આરીફ જેલના સળિયા પાછળ છે અને પોલીસ તેને સજા થાય તે માટે પુરાવાઓ ભેગા કરવામાં લાગી છે.

Tags:    

Similar News