અમદાવાદ : ભુયંગદેવની સાધના વિનય શાળાએ અર્પી સ્વ. બિપિન રાવતને શ્રધ્ધાંજલિ
કુન્નુરમાં થયેલી હેલિકોપ્ટર દુઘર્ટનાએ દેશભરના લોકોને હચમચાવી દીધાં છે. આ દુઘર્ટના માં CDS બિપિન રાવતનો જીવનદીપ બુઝાવી દીધો છે.
તામિલનાડુના કુન્નુર નજીક હેલિકોપ્ટર દુઘર્ટનામાં મૃત્યુ પામેલાં સીડીએસ બિપિન રાવત માટે દેશભરમાંથી શ્રધ્ધાજલિનો ધોધ વહી રહયો છે. કુન્નુરમાં થયેલી હેલિકોપ્ટર દુઘર્ટનાએ દેશભરના લોકોને હચમચાવી દીધાં છે. આ દુઘર્ટનાએ દેશના પ્રથમ ચીફ ઓફ ડીફેન્સ સ્ટાફ બિપિન રાવતનો જીવનદીપ બુઝાવી દીધો છે. અમદાવાદમાં અલગ અલગ જગ્યાએ આ શ્રદ્ધાંજલિ આપવામાં આવી. ભુયંગદેવની સાધના વિનય મંદિર સ્કુલમાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. તો સાથે સાથે ગુજરાત વિદ્યાપીઠના વિધાર્થીઓએ કેન્ડલ માર્ચ યોજી બિપિન રાવતને શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી.