અમદાવાદ: ગુજરાત યુનિ.ના ચાન્સેલર ભાજપના ઇશારે કામ કરતા હોવાનો NSUIનો આક્ષેપ,જુઓ શું છે મામલો

ગુજરાત યુનિ.પર NSUIનો હોબાળો રાજકીય કાર્યક્રમમાં યુનિ. સ્ટાફ હાજર રહેતા વિવાદ

Update: 2021-12-10 12:22 GMT

અમદાવાદ ગુજરાત યુનિવર્સિટી ખાતે આજે એનએસયુઆઇના કાર્યકરોએ ભારે હંગામો મચાવ્યો હતો ગઈકાલે યુનિ.માં યોજાયેલ એબીવીપીના કાર્યક્રમમાં યુનિ.સ્ટાફ હાજર રહેતા એનએસયુઆઇના સભ્યો રજૂઆત કરવા પહોંચ્યા હતા જોકે પોલીસે અટકાવતા ચકમક ઝરી હતી ગુજરાત યુનિ ખાતે ગઈકાલે એબીપીવી દ્વારા એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હ  તેમાં યુનિ સ્ટાફમાંથી કેટલાક લોકો હાજર હતા જેને લઇ આજે એનએસયુઆઇના હોદેદારો અને કાર્યકરો વાઇસ ચાન્સેલરને રજૂઆત કરવા પહોંચ્યા હતા જોકે પોલીસે તેઓને અટકાવતા ચકમક ઝરી હતી.એનએસયુઆઇ દ્વારા આરોપ લગાવવામાં આવ્યો હતો કે કોઈપણ રાજકીય કાર્યકાર્મમાં યુનિ સ્ટાફ હાજર ના રહી શકે છતાં યુનિ ચાન્સલેર ભાજપના ઈશારે આ કામ કરી રહયા છે જે ગેરબંધારણીય છે

Tags:    

Similar News