IND Vs PAK : પૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકર સહિત અનેક સેલિબ્રિટી મહામુકાબલો નીહાળવા અમદાવાદ પહોંચ્યા

Update: 2023-10-14 03:19 GMT

ભારત-પાકિસ્તાન વચ્ચે વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં 1 લાખ 32 હજાર દર્શકોની હાજરી વચ્ચે આઠમી વખત ટક્કર થશે. આ મહામુકાબલો નીહાળવા અનેક સેલિબ્રિટી અમદાવાદ પહોંચી ચુક્યા છે. ક્રિકેટનો ભગવાન ગણાતો ભારતનો પૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકર અને વિરાટ કોહલીની પત્ની અનુષ્કા શર્મા પણ આવી પહોંચ્યા છે.

સચિન તેંડુલકરે એરપોર્ટ પર પહોંચ્યા બાદ કહ્યું, હું અહીંયા ભારતને સપોર્ટ કરવા આવ્યો છું. આપણને જે પરિણામની આશા છે તે જ આવશે તેવી અપેક્ષા છે.

Tags:    

Similar News