વડાપ્રધાન મોદીના પ્રચારનો આજે બીજો દિવસ, આ ચાર સ્થળોએ સંબોધશે સભા

Update: 2022-12-02 03:17 GMT

PM મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે બીજા તબક્કાની ચૂંટણીને લઇ પ્રચંડ પ્રચાર કરશે. બીજા તબક્કાની ચૂંટણી માટે ભાજપ આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર કરશે. PM મોદી આજે રાજ્યના 4 જિલ્લાઓને ગજવશે. જેમાં બનાસકાંઠા, પાટણ, આણંદ અને અમદાવાદ જિલ્લામાં PM મોદી જાહેર જનસભાઓને સંબોધશે.

PM મોદી આજે બનાસકાંઠાનું કાંકરેજ, પાટણનું યુનિવર્સિટી ગ્રાઉન્ડ, આણંદનું સોજીત્રા તેમજ અમદાવાદના સરસપુરમાં જાહેર જનસભાને સંબોધશે. મહત્વનું છે કે, 5મી ડિસેમ્બરે ગુજરાતમાં બીજા તબક્કાનું મતદાન યોજાશે.

Tags:    

Similar News