અંકલેશ્વર : ટેન્કરની સાફ સફાઈ કરવા ચાલક ટેન્કર ઉપર ચઢ્યો, જુઓ પછી તેના સાથે શું બન્યું..!

Update: 2020-07-28 10:10 GMT

ભરૂચ જિલ્લાની અંકલેશ્વર જીઆઈડીસીમાં ટેન્કર ચાલકને વીજ કરંટ લાગતા તેનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું, ત્યારે સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

મળતી માહિતી અનુસાર, ભરૂચ જિલ્લામાં આવેલ અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં મંગળવારના રોજ એક ટેન્કરના ચાલકને વીજ કરંટ લાગ્યો હતો. જેમાં વીજ કરંટ લાગતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતાં જ જીઆઈડીસી પોલીસ મથકનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.

અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે ટેન્કર ચાલકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી. જોકે ટેન્કરનો ચાલક સાફ સફાઈ કરવા માટે ટેન્કર ઉપર ચઢ્યો હતો, તે દરમ્યાન ઉપરથી પસાર થતાં વીજ વાયરના સંપર્કમાં આવી જતાં તેને વીજ કરંટ લાગ્યો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.

Similar News