ભરૂચ : ભારતીય કિસાન સંઘની મળી બેઠક, જુઓ કયાં મુદ્દાઓ પર થઇ ચર્ચા

Update: 2020-12-16 12:27 GMT

ભારતીય કિસાન સંઘના પ્રદેશ મંત્રી અને ભરૂચ જિલ્લા પ્રભારી આર.કે પટેલ તેમજ જિલ્લા સંયોજક અજીતસિંહ ની હાજરીમાં અંકલેશ્વર તાલુકાની સદસ્યતા અભિયાન અંતર્ગત બેઠક મળી હતી.

બેઠકમાં આગામી સમયમાં ભારતીય કિસાન સંઘ જન-જન સુધી પહોંચી સમસ્યા સહિત સમાજના નિર્માણ થાય અને ખેડૂતોને એકત્રિત કરી તેમની સમસ્યા કેવી રીતે ઉકેલી શકાય તે અંગેનું માર્ગદર્શન અપાયું હતું અને અંકલેશ્વર તાલુકાના તમામ ગામોમાં ભારતીય કિસાન સંઘની ગામ સમિતિ બને તેવું આયોજન કરાયું હતું. અંકલેશ્વર તાલુકાના પ્રદુષણને લગતા પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી અને આ બાબતે આગામી દિવસોમાં ઉચ્ચકક્ષાએ રજૂઆત કરવાની પણ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી ઉદ્યોગોના પ્રદૂષણના કારણે ખેડૂતોની ફળદ્રુપ જમીન પ્રદૂષિત થતા ખેતીને મોટું નુકસાન થઈ રહ્યું હોવાના પણ ખેડૂતોએ આક્ષેપ કર્યા હતાં.

Tags:    

Similar News