ભરૂચ: સેકન્ડ વેવમાં કોરોના બન્યો વધુ ઘાતક, છેલ્લા 19 દિવસમાં કોરોનાના સરેરાશ 18 પોઝિટિવ કેસ સાથે કુલ 349 કેસ નોધાયા
ભરૂચ જીલ્લામાં સેકન્ડ વેવમાં કોરોના જાણે કોહરામ મચાવી રહ્યો છે. આરોગ્ય વિભાગે રજૂ કરેલા આંકડા અનુસાર છેલ્લા 19 દિવસમાં કોરોનાના સરેરાશ 18 કેસ સાથે કુલ 349 કેસ નોધાયા છે જો કે સરકારી આંકડા અને ખાનગી લેબોરેટરીના આંકડામાં મોટો તફાવત જોવા મળે છે.
સેકન્ડ વેવમાં કોરોના જાણે વધુ ઘાતક પુરવાર થઈ રહ્યો છે. ભરુચ જીલ્લામાં કોરોનાનો પ્રથમ કેસ તારીખ 8 એપ્રિલ 2020ના રોજ નોધાયો હતો ત્યારે લગભગ એક વર્ષપૂર્ણ થવા આવ્યું છે આમ છતા સ્થિતિ એની એ જ છે બલ્કે વધુ ભયંકર બની રહી હોવાનું લાગી રહ્યું છે. કોરોનના પ્રથમ રાઉન્ડમાં સંક્રમિતોની સંખ્યા વધી હતી ત્યાર બાદ કેસમાં ઘટાડો નોધાયો હતો પરંતુ કોરોના હવે વધુ તેજ રફતારથી આગળ વધી રહ્યો હોવાનું લાગી રહ્યું છે. ભરૂચ જીલ્લામાં માર્ચ મહિનાની શરૂઆતથી જ કોરોનાએ બેક બાઉન્સ માર્યું છે અને છેલ્લા 19 દિવસમાં તો સ્થિતિ વધુ વણસી છે. ભરૂચ જીલ્લામાં છેલ્લા 19 દિવસમાં કોરોનાના રોજના સરેરાશ 18 કેસ નોધાય રહયા છે અને 19 દિવસમાં કુલ 349 કેસ નોધાયા છે છેલ્લા 19 દિવસમાં કઈ તારીખે કેટલા કેસ નોધાયા એના પર એક નજર કરીયે તો,
15 માર્ચ -14 કેસ
16 માર્ચ -13 કેસ
17 માર્ચ-17 કેસ
18 માર્ચ- 13 કેસ
19 માર્ચ 12 કેસ
20 માર્ચ-14 કેસ
21 માર્ચ-12 કેસ
22 માર્ચ-15 કેસ
23 માર્ચ-21 કેસ
24 માર્ચ-18 કેસ
25 માર્ચ-23 કેસ
26 માર્ચ-21 કેસ
27 માર્ચ-22 કેસ
28 માર્ચ-19 કેસ
29 માર્ચ-17 કેસ
30 માર્ચ-13 કેસ
31 માર્ચ-28 કેસ
1 એપ્રિલ-29 કેસ
2 એપ્રિલ-28 કેસ
આમ જીલ્લામાં કોરોનાની સ્થિતિ વધુ ભયંકર બનતી જઇ રહી છે જો કે આતો સરકારી આંકડા છે પરંતુ ખાનગી લેબોરેટરીના આંકડા આનાથી વધુ ભયંકર છે. જીલ્લામાં સરકારી આંકડા મુજબ અત્યાર સુધીમાં કુલ 4123 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે એ પૈકી 3864 લોકોએ કોરોનાને મ્હાત આપી સાજા થયા છે. કોરોના સંક્રમિત દર્દીઓના સરકારી આંકડા અને ખાનગી આંકડાની જેમ મોતના આંકડામાં પણ મોટો તફાવત જોવા મળે છે.આરોગ્ય વિભાગ અનુસાર કોરોનના કારણે અત્યાર સુધી 33 લોકોના મોત થયા છે પરંતુ કોવિદ સ્મશાનમાં કોરોનના પ્રોટોકોલ અનુસાર અત્યાર સુધી 545 લોકોના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે. છેલ્લા 3 દ્વિયાસની વાત કરીયે તો 3 દિવસમાં 22 લોકોના કોવિડ સ્મશાનમાં અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યા છે. વૈશ્વિક મહામારી કોરોનાની આ બીજી વેવ અત્યંત ઘાતક પુરવાર થઈ રહી છે ત્યારે જીવલેણ સંક્રમિતથી બચવા માટે માસ્ક આવશ્ય પહેરો,શોશ્યલ,ડિસ્ટન્સનું પાલન કરો અને સરકારના નિયમો અનુસાર કોરોનાની રસી અચૂક મુકાવો એ જ કનેક્ટ ગુજરાત અપીલ કરે છે.