ભરૂચ : નર્મદા માર્કેટમાં 3 ગાયને થઈ ઝેરી ખાદ્ય પદાર્થની અસર, 2 ગાયના મોત
ભરૂચ શહેરમાં રેલ્વે ગોદી સ્ટેશન રોડ નજીક આવેલા
નર્મદા માર્કેટમાં કેટલીક ગાય ચરવા આવતી હોય છે, ત્યારે પશુ માલિકો પણ તેમના પશુઓ શું આરોગે છે, તેનું ધ્યાન સુદ્ધા રાખતા નથી. જેમાં આજરોજ કેટલીક
ગાય નર્મદા માર્કેટ નજીક ચરવા આવી હતી, ત્યારે 3 જેટલી ગાયને કોઇ ઝેરી ખાદ્ય પદાર્થની અસર થઈ હતી. જેના કારણે 2 ગાયનું
મોત નીપજ્યું હતું. આ બનાવની જાણ આસપાસના લોકોને થતાં ઘટના સ્થળે ટોળાં વળ્યા હતા.
આ અંગે ભરૂચ કરૂણા અભિયાનની ટીમનો સંપર્ક કરવામાં
આવતા તેઓ પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી ઝેરી અસર થયેલ ગાયની સારવાર હાથ ધરી
હતી. જેમાં 2 ગાયનું મૃત્યુ થતાં જીવદયાપ્રેમીઓમાં
નારાજગી સાથે પશુ પાલકો સામે રોષ જોવા મળ્યો હતો. હાલતો આ તમામ ગાયને કોઈ અખાદ્ય
પદાર્થ ખાતા ઝેરની અસર થઈ હોવાનું પ્રાથમિક અનુમાન લગાડવામાં આવી રહ્યું છે.