અંકલેશ્વર: બાઈસિકલ કલ્બ ધ્વારા 11 જૂનના રોજ 7th Cyclo Walkathon યોજાશે

Update: 2023-05-31 10:15 GMT

અંકલેશ્વર સ્વાસ્થ્ય અને પકૃતિ પ્રેમી જનતા માટે જુન મહિનાના બીજા રવિવાર એટલે કે તા.૧૧-૦૬-૨૦૨૩ ના રોજ અંકલેશ્વર જી.આઈ.ડી.સી ખાતે અંકલેશ્વર બાઈસિકલ કલ્બ ધ્વારા ભરૂચ જીલ્લાનો સૌથી મોટો એટલે કે “7th CycloWalkathon”નું આયોજન થઈ રહ્યું છે.જેમાં Cycling અને Walking બન્ને માંથી કોઈ પણ એકમાં ૧૦ વર્ષથી મોટી ઉંમરના કોઈપણ વ્યક્તિ જોડાઈ શકે છે.સાયકલિંગ માટે અંદાજીત ૨૦ કી.મી અને વોકિંગ માટે ૫ કી.મી નું અંતર રાખવામાં આવેલ છે. આ Event માં ભાગ લેવા માટે Online link થી રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.

Tags:    

Similar News