ભરૂચ: નર્મદા માર્કેટમાં બંધ ગોડાઉન ભડકે બળ્યુ, અફરાતફરીનો માહોલ

Update: 2024-04-13 14:58 GMT

ભરૂચના નર્મદા માર્કેટમાં આગનો બનાવ

બંધ ગોડાઉનમાં આગ ફાટી નિકળી

આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું

ફાયર ફાયટરોએ આગ પર કાબુ મેળવ્યો

કોઈ જાનહાની નહીં

ભરૂચના નર્મદા માર્કેટમાં બંધ ગોડાઉનમાં અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી

ભરૂચના સ્ટેશન રોડ પર આવેલ નર્મદા માર્કેટમાં આજરોજ સમી સાંજના સમયે આગનો બનાવ બન્યો હતો. નર્મદા માર્કેટમાં આવેલ બંધ ગોડાઉનમાં અચાનક આગ ફાટી નીકળી હતી. જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. જેના કારણે અગનજ્વાળા દૂર દૂર સુધી નજરે પડી હતી. બનાવની જાણ કરવામાં આવતા જ ભરૂચ નગર સેવા સદનના ફાયર ફાઈટરો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો હાથ ધર્યા હતા. લગભગ અડધાથી પોણા કલાકની જહેમત બાદ ફાયર ફાઈટરોએ આગ પર કાબુ મેળવ્યો હતો. સદનસીબે આગની આ ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી. બંધ ગોડાઉનમાં થર્મોકોલનો મોટો જથ્થો હોવાના કારણે આગ વિકરાળ બની હોવાનું જાણવા મળી રહ્યું છે.આગ કયા કારણોસર લાગી એ હજુ સુધી જાણવા મળી શક્યુ નથી

Tags:    

Similar News