ભરૂચ: દહેજના જાગેશ્વર ગામના લેન્ડલૂઝર્સ આંદોલન કરે એ પૂર્વે જ પોલીસ ખડકી દેવાય,જુઓ શું છે મામલો
ભરૂચના દહેજની એ.બી.જી. કંપની સામે જાગેશ્વરના લેન્ડલુઝર આંદોલન કરે તે પહેલા જ આંદોલનકારીઓના ઘરે પોલીસ ખડકી દેવામાં આવાતા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.
ભરૂચના દહેજની એ.બી.જી.શિપયાર્ડ કંપનીમાંથી સ્થાનિક લેન્ડલુઝર્સને નોકરી માંથી છુટા કરવામાં આવતા તેમણે તંત્ર પાસે કંપની સમક્ષ ધરણા પ્રદર્શન કરવા પરવાનગી માંગી હતી. અને આજરોજ આંદોલનના મંડાણ થાય તે પહેલાં જ વહેલી સવારથી જ આંદોલનકારીઓ સહિત મુખ્ય આગેવાનોના ઘરે પોલીસ તૈનાત કરી દેવામાં આવી હતી.
નોંધનીય છે કે પોલીસ દ્વારા આંદોલનકારીઓ સાથે તાનાશાહી ભર્યું વલણ દાખવવામાં આવ્યુ હોવાની બુમો જાગેશ્વરના આંદોલકરીઓમાંથી ઉઠવા પામી છે. આ બાબતે જાગેશ્વર ગામની મહિલાઓએ રસ્તા પર બેસી જઇ વિરોધ નોંધાવ્યો હતો.