ભરૂચ : મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદ-ઉલ-અઝહાની કરાય ઉત્સાહભેર ઉજવણી
મુસ્લિમ બિરાદરોએ કરાય બકરી ઈદની ભવ્ય ઉજવણી, ઈસ્લામ ધર્મમાં ઈદ-ઉલ-અઝહા બીજો સૌથી મોટો તહેવાર.
કોરોનાનું સંક્રમણ ઘટતા હવે ભરૂચ જિલ્લામાં દરેક ધાર્મિક તહેવારોની ચમક દેખાઈ રહી છે, ત્યારે ભરૂચ શહેરમાં ઈસ્લામ ધર્મના માહે ઝીલહાજ માસનો પ્રથમ ચાંદ દેખાયા બાદ મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદ-ઉલ-અઝહા એટલે કે, બકરી ઈદની ઉજવણી કરવામાં આવી હતી.
ઈસ્લામ ધર્મના મહાન પયંગબર હજરત ઈબ્રાહિમ અલેહી સલામ અને હજરત ઈસ્માઈલ સલામની યાદમાં મુસ્લિમ બિરાદરો દ્વારા દર વર્ષે ઈદ-ઉલ-અઝહા એટલે કે, બકરી ઈદનો તહેવાર મનાવવામાં આવે છે. ઈસ્લામ ધર્મમાં ઈદ-ઉલ-અઝહા બીજો સૌથી મોટો તહેવાર માનવામાં છે.
ભરૂચ શહેરના મુસ્લિમ બિરાદરો દ્વારા આજના પવિત્ર દિવસે નમાઝ અદા કર્યા બાદ એકમેકને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. તો સાથે જ નાના બાળકોએ પણ આજનો દિવસ ખૂબ હર્ષોલ્લાસથી મનાવ્યો હતો. જોકે કોરોના મહામારીના કારણે ઈદ-ઉલ-અઝહાની સાદગીપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.