ભરૂચની સરગમ હોસ્પિટલ તેમજ જુના તવરા સમસ્ત ગ્રામજનો દ્વારા હાઈસ્કૂલ વિદ્યાભવન ખાતે સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કરાયું હતું.
સર્વરોગ નિદાન કેમ્પનો ગ્રામજનોએ મોટી સંખ્યામાં લાભ લીધો હતો.આ કેમ્પને સફળ બનાવવા બધાં ઉત્સાહભેર કાર્યરત રહ્યા હતા તથા આગેવાનો અને શાળાના સ્ટાફ તેમજ બાળકોનો પણ સહકાર સાંપડ્યો હતો. આ કેમ્પમાં જે.સી.આઈ ભરૂચના પ્રમુખ દિશા ગાંધી અને આરસીસીના પ્રમુખ જે.પી.પટેલ સહિત અન્ય હોદ્દેદારો અને સભ્યો હાજર રહ્યા હતા. કેમ્પમાં નિષ્ણાંત તબીબીઓએ સેવાઓ આપી હતી . તેમને દર્દીઓને તપાસી જરૂરી નિદાન કર્યું હતું.