ભરૂચ : જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલ સ્થિત શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરના 11મા પાટોત્સવની ઉજવણી કરાય...

ભોલાવ વિસ્તારમાં આવેલ જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલના પટાંગણ સ્થિત શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરના 11મા પાટોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

Update: 2023-06-15 09:52 GMT

ભરૂચ શહેરના ભોલાવ વિસ્તારમાં આવેલ જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલના પટાંગણ સ્થિત શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરના 11મા પાટોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

ભરૂચ શહેરમાં ભોલાવ વિસ્તારમાં આવેલ જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલના પટાંગણ સ્થિત કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરના 11મા પાટોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વહેલી સવારે 5.30 કલાકે મંગળા આરતી, સવારે 11:30 કલાકે અન્નકૂટ અને આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ ઉપસ્થિત રહી શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજીના શ્રદ્ધાભેર દર્શન કરી ધન્યતા અનુભવી હતી. તો સંધ્યા સમયે કષ્ટભંજન દેવ હનુમાનજીનું પૂજન-અર્ચન, અભિષેક સહિત સંગીતમય સુંદરકાંડ પાઠનું આયોજન પણ કરવામાં આવ્યું છે. સાથે સાથે અરબી સમુદ્રમાં સર્જાયેલ ચક્રવાતનું સંકટ દરિયામાં સમાઈ જાય તે માટે ભગવાન શ્રી કષ્ટભંજન હનુમાન દેવને વિશેષ પ્રાર્થના કરવામાં આવી હતી. આ પ્રસંગે શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરના સંચાલક શૈલેષ પટેલે પાટોત્સવ નિમિત્તે ભક્તોને વિવિધ ધાર્મિક કાર્યક્રમનો લાભ લેવા આમંત્રણ પાઠવાયું છે.

Tags:    

Similar News