ખડાયતા વિકાસ મંડળના સહયોગથી ભરૂચ ખાતે ક્રિકેટ તથા વોલીબોલની ટુર્નામેન્ટનું કરાયું આયોજન

Update: 2020-01-12 11:38 GMT

ખડાયતા પરિવાર ભરૂચ અંકલેશ્વરના નાનકડા સમુદાય તરફથી ખડાયતા વિકાસ મંડળના સહયોગથી, ભરૂચ ખાતે કે.જી.એમ.વિદ્યાલયમાં ક્રિકેટ તથા વોલીબોલની ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૨૦ જેટલી ટીમોએ ભાગ લીધો હતો.

વિકાસ મંડળના

પ્રમુખ ગોપાલ શાહ તથા અન્ય ટ્રસ્ટી ઓએ દિપ પ્રાગટ્ય કરી  મેચનો શુભારંભ કરાવ્યો હતો. ખડાયતા પરિવારના

યતિનભાઇ શેઠે ખડાયતા પરિવાર ભરૂચ-અંકલેશ્વરનો પરિચય આપ્યો હતો. વિકાસ મંડળના

પ્રમુખ ગોપાલ શાહે પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. ડો દિલીપ શાહે  સૌનો આભાર માન્યો હતો અને સેજલબેને

કાર્યક્રમનું સંચાલન કરી રાષ્ટ્રગીત ગાઇ સમારોહ સંપન્ન થયો હતો.

Similar News