દિલ્હી હિંસા: દિલ્હી સરકાર હિંસા પીડિતોને આજથી વળતર આપશે

Update: 2020-02-29 06:31 GMT

દિલ્હીની હિંસામાં કેટલાક લોકોએ આજીવનની કમાણી ગુમાવી દીધી, કેટલાકે પુત્રો ગુમાવ્યા, કેટલાકએ તેમના પતિ ગુમાવ્યા. ઉપદ્રવીઓએ વર્ષોથી લોહી અને પરસેવો વહાવી વસાવેલ દુકાન-મકાન અને સામાનને એક માચીસની તીલીથી રાખ કરી દીધું. બેસહારા, મજબૂર અને અનિશ્ચિતતાના વમળમાં ઊભા હિંસાના પીડિત લોકો માટે હવે દિલ્હી સરકાર મદદ લઈને આવી છે. દિલ્હીની અરવિંદ કેજરીવાલ સરકારે હિંસા પીડિતોને મદદ કરવા વળતર આપવાની પ્રક્રિયા આજથી શરૂ કરી દીધી છે.

Similar News