35 વર્ષની મલયાલમ એક્ટ્રેસે ગળેફાંસો ખાઈ કર્યો આપઘાત, પંખે લટકતી લાશ મળતા ખળભળાટ....

રેન્જુશા મેનન કેરળના થિરુવનંતપુરમમાં પરિવાર સાથે ભાડાના ઘરમાં રહેતી હતી

Update: 2023-10-30 11:02 GMT

મનોરંજન જગતમાં વધુ એક દૂ:ખદ ઘટના સામે આવી છે. લોકપ્રિય મલયાલમ એક્ટ્રેસ અને જાણીતી મોડેલ રેન્જુશા મેનને કેરળના થિરુવનંતપુરમના તેના ભાડાના ઘરમાં આપઘાત કરી લેતા ચકચાર મચી છે. સોમવારે તેના ઘરમાં પંખે લટકતી તેની લાશ મળી આવી હતી ત્યારે લોકોને ખબર પડી કે તેણે ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે. મીડિયા રિપોર્ટ અનુસાર, છેલ્લા થોડા દિવસથી તેને પૈસાની ખૂબ તકલીફ હતી એથી એવી અટકળો વહેતી થઈ છે કે આર્થિક સંકડામણને કારણે તેણે આપઘાત કર્યો હોઈ શકે છે.

રેન્જુશા મેનન કેરળના થિરુવનંતપુરમમાં પરિવાર સાથે ભાડાના ઘરમાં રહેતી હતી. રિપોર્ટ અનુસાર, છેલ્લા થોડા સમયથી તેને પૈસાની ખૂબ તકલીફ પડી રહી હતી એટલે પૈસાની તંગીને કારણે તેણે આપઘાત કર્યો હોય તેવું બની શકે છે. મલયાલમ ફિલ્મોથી પોતાની આગવી ઓળખ ઉભી કરનાર અભિનેત્રી રેંજુશા મનોરંજન ઉદ્યોગના જાણીતા ચહેરાઓમાંની એક હતી.તે ફિલ્મો ઉપરાંત ટીવી સિરિયલોમાં સહાયક ભૂમિકા ભજવતી જોવા મળી હતી. છેલ્લે તે 'આનંદરગમ'માં મુખ્ય ભૂમિકા ભજવતી જોવા મળી હતી.

Tags:    

Similar News