મનોજ બાજપેયીના પિતાની હાલત નાજુક, શૂટિંગ છોડી દિલ્હી જવા અભિનેતા થયા રવાના

મનોજ બાજપેયીના પિતાનું નામ રાધાકાંત બાજપેયી છે અને તેઓ ખેડૂત છે.

Update: 2021-09-17 11:56 GMT

મનોજ બાજપેયીને જ્યારે તેમના પિતાની હાલત નાજુક હોવાના સમાચાર આપવામાં આવ્યા ત્યારે તેઓ કેરળમાં તેમના આગામી પ્રોજેક્ટનું શૂટિંગ કરી રહ્યા હતા. તેમના પિતા હોસ્પિટલમાં હોવાનું સાંભળીને તે કેરળથી દિલ્હી જવા રવાના થયા.

ફિલ્મ અભિનેતા મનોજ બાજપેયીના પિતા દિલ્હીની હોસ્પિટલમાં દાખલ છે અને તેમની હાલત નાજુક હોવાનું કહેવાય છે. આ સમાચાર આપવામાં આવ્યા ત્યારે મનોજ બાજપેયી કેરળમાં પોતાના આગામી પ્રોજેક્ટનું શૂટિંગ કરી રહ્યા હતા. અભીનેતા મનોજ બાજપાયીના પિતા હોસ્પિટલમાં હોવાની માહિતી મળતા જ તેઓ દિલ્હી જવા રવાના થયા. મનોજ બાજપેયીના પિતાનું નામ રાધાકાંત બાજપેયી છે અને તેઓ ખેડૂત છે.

Tags:    

Similar News