નવરાત્રીમાં માતાજીની પૂજા માટે આ રીતે તૈયાર થાવ, દેખાશો એકદમ સુંદર..

પિતૃપક્ષની સમાપ્તિ પછી શારદીય નવરાત્રિની શરૂઆત થાય છે. દર વર્ષની જેમ આ નવરાત્રિએ પણ લોકો મન ભરીને મોજ કરી રહ્યા છે

Update: 2023-10-21 11:00 GMT

પિતૃપક્ષની સમાપ્તિ પછી શારદીય નવરાત્રિની શરૂઆત થાય છે. દર વર્ષની જેમ આ નવરાત્રિએ પણ લોકો મન ભરીને મોજ કરી રહ્યા છે, અને ગરબે ઘૂમી રહયા છે. માતા રાનીના આગમનની વાત કરીએ તો માતા રાની આ વખતે પર સવાર થઈને તેમના ભકતોના ઘરે આવ્યા છે. દરેક જગ્યાએ હાથીને સુખ અને સમૃધ્ધિનું પ્રતિક માનવામાં આવે છે. નવરાત્રીના આ દિવસોમાં મહિલાઓને સુંદર આઉટફિટ્સ પહેરીને ગરબે ઘૂમવું ખૂબ જ ગમે છે. આવી સ્થિતિમાં મહિલાઓ પૂજા વખતે તેમના મેકપણું પણ ખાસ ધ્યાન રાખે છે. તો આજે અમે તમને જણાવીશું કે નવરાત્રીમાં પૂજા દરમિયાન કેવી રીતે તૈયાર થવું.

લાલ રંગનો પોષક પહેરો

માતા રાનીને લાલ રંગ ખૂબ જ પ્રિય છે. આવી સ્થિતિમાં પૂજા દરમિયાન લાલ રંગના વસ્ત્રો પહેરવા જોઈએ. આનાથી માતા દુર્ગા પ્રસન્ન થાય છે અને માતા દુર્ગા તમારી બધી જ મનોકામના પૂર્ણ કરે છે.

તમે લીલા રંગના વસ્ત્રો અન પહેરી શકો છો

જો તમારી પાસે લાલા રંગના એથનિક નથી તો તમે લીલા રંગને પણ પસંદ કરી શકો છો. તમે લીલા રંગના વસ્ત્રો પણ પહેરી શકો છો. પૂજા માટે આ રંગ પણ અતિ શુભ માનવામાં આવે છે.

તમારી સાથે દુપટ્ટો રાખો

જો તમે પૂજા દરમિયાન સાડી પહેરી છે તો તમારી સાથે સાડીનો પલ્લું હશે પરંતુ જો તમે ડ્રેસ પહેરેલો હશે તો તેના પર દુપટ્ટો અવશ્ય રાખો. કારણ કે પૂજા દરમિયાન દુપટ્ટો માથા પર રાખવો જરૂરી છે.

મેકઅપનું ખાસ ધ્યાન રાખો

જો તમે પૂજામાં હાજરી આપવા માટે મેકઅપનું વિચારી રહ્યા છો. તો મેકઅપનું ખાસ ધ્યાન રાખો. પૂજા માટે તમારો મેકઅપ ખૂબ જ ડાર્કના હોવો જોઈએ.

આવા ફૂટવેરથી દૂર રહો

જો તમે પૂજામાં ભાગ લેવા જય રહયા છો તો આવા ફૂટવેરથી દૂર જ રહેવું જોઈએ. જેને હાથથી ખોલવાના અને બંધ કરવાના હોય, આ ફૂટવેર સમસ્યાનું કારણ બની શકે છે.    

Tags:    

Similar News