Covid-19 : રાજ્યમાં આજે કોરોનાના 162 નવા કેસ નોધાયા, 2 દર્દીના થયા મોત

Update: 2022-02-27 14:44 GMT

ગુજરાતમાં આજે છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 162 કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં કોરોનાના કુલ એક્ટિવ કેસનો આંકડો 2049 પર પહોંચી ગયો છે. રાજ્યમાં 23 લોકો વેન્ટીલેટર પર છે. 2026 લોકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં રાજ્યમાં 1209534 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોના સંક્રમણથી 10,928 લોકોના મોત થયા છે. રાજ્યમાં આજે સંક્રમણથી 2 લોકોના મોત થયા છે.

અમદાવાદ કોર્પોરેશનમાં 77, વડોદરા કોર્પોરેશનમાં 20, વડોદરા 15, રાજકોટ 6, સુરત કોર્પોરેશનમાં 5, ગાંધીનગર કોર્પોરેશન 4, સુરત 4, આણંદ 3, જામનગર 3, અમદાવાદ 2, અરવલ્લી 2, બનાસકાંઠા 2, દાહોદ 2, ખેડા 2, કચ્છ 2 અને તાપીમાં 2 કોરોના વાયરસના કેસ નોંધાયા છે.

બીજી તરફ આજે 386 દર્દીઓ રિકવર પણ થયા છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.94 ટકાએ પહોંચ્યો છે. આજે 28118 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. આજે કોરોનાના કારણે 2 લોકોના મોત થયા છે. વડોદરા કોર્પોરેશનમાં 2 કોરોના દર્દીનું મોત થયું હતું.

Tags:    

Similar News