અંકલેશ્વર : ગણપતિ મહોત્સવને ધ્યાનમાં રાખી પાલિકા ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાય…

Update: 2022-08-26 14:29 GMT

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેર નગરપાલિકાના સભાખંડ ખાતે ડીવાયએસપી ચિરાગ દેસાઈની અધ્યક્ષતામાં આગામી ગણપતિ મહોત્સવને ધ્યાનમાં રાખી શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

અંકલેશ્વર તાલુકાના ડીવાયએસપી ચિરાગ દેસાઈની અધ્યક્ષતામાં આવનાર ગણેશ મહોત્સવને ધ્યાનમાં રાખી અંકલેશ્વર નગરપાલિકાના સભાખંડ ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાય હતી. જેમાં હિન્દુ અને મુસ્લિમ સમાજના આગેવાનો સહિત ગણેશ ઉત્સવના વિવિધ મંડળોના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આ શાંતિ સમિતિની બેઠકમાં ડીવાયએસપી ચિરાગ દેસાઈએ તમામ મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરી શાંતિપૂર્ણ માહોલમાં ઉત્સવની ઉજવણી કરવામાં આવે અને એકબીજાને સહકાર આપી ભાઈચારના સંદેશ સાથે તહેવાર મનાવવામાં આવે, સાથે જ સરકારની ગાઈડલાઈન મુજબ તહેવારની ઉજવણી કરવામાં આવે તેવી તમામ ગણેશ મંડળો અપીલ કરી હતી. આ ઉપરાંત શહેરભરના તમામ ગણેશ મંડળોને પોલીસ વિભાગમાં રજીસ્ટ્રેશન કરાવી ઉત્સવ સમયે પોલીસને સાથ સહકાર આપવામાં આવે તેવી પણ અપીલ કરાય હતી. સમગ્ર બેઠક દરમ્યાન અંકલેશ્વર શહેર પોલીસ મથકના પોલીસ ઈન્સ્પેકટર, નગરપાલિકા પ્રમુખ વિનય વસાવા, વિવિધ ગણેશ મંડળના આયોજકો, મુસ્લિમ કમિટીના સભ્યો સહિત મોટી સંખ્યામાં હિન્દુ મુસ્લિમ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Tags:    

Similar News