ભાવનગર : વૃદ્ધાશ્રમના વડીલો અને સૈનિક પરિવારો સાથે શિક્ષણમંત્રીએ કરી દિવાળી પર્વની ઉજવણી...

ભાવનગરના ધારાસભ્ય અને કેબીનેટ શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ દર વર્ષની માફક દિવાળી પર્વની ઉજવણી કરી હતી.

Update: 2022-10-24 11:33 GMT

રોશનીના જાજરમાન પર્વ એવા દીવાળીની આજે સમગ્ર દેશમાં આનંદ અને ઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય અને રાજ્યના કેબીનેટ શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ દીપાવલી પર્વની દરવર્ષની માફક વૃદ્ધાશ્રમના વડીલો અને દેશના સીમાડાની રક્ષા કરતા સરહદ ઉપર ફરજ બજાવતા સૈનિકોના પરિવારજનો સાથે કરી હતી. જેમાં તેમની સાથે સંગઠનના હોદ્દેદારો જોડાયા હતા.

અંધકારમાંથી રોશની તરફ લઈ જતું પર્વ એટલે દીપાવલી, આ પર્વની સાચી ઉજવણી તો, ત્યારે જ સાર્થક કહેવાય જયારે અન્યનું જીવન પણ રોશનમય બને. ત્યારે આજના આ ખાસ દિવસે ભાવનગરના ધારાસભ્ય અને કેબીનેટ શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ દર વર્ષની માફક દિવાળી પર્વની ઉજવણી કરી હતી. શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ ભાવનગરના વૃદ્ધાશ્રમમાં જઈ વડીલોને મળીને મીઠાઈ આપી તેમના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા, જ્યારે દિવાળીનું પર્વ સામાન્ય રીતે લોકો પોતાના પરિવાર સાથે દિવાળી ઉજવાતા હોય છે.

પરંતુ દેશના સીમાડાની રક્ષા કાજે સરહદ ઉપર ફરજ બજાવતા જવાનો તેમના ઘરે આવી શકતા નથી. જેથી શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ આવા સૈનિક પરિવારોને ત્યાં જઈ શુભેચ્છા મુલાકાત લઈ મીઠાઈ વહેંચી દિવાળી પર્વની અનેરી ઉજવણી કરી હતી.

Tags:    

Similar News